1. Home
  2. ગુજરાતી
  3. કોરોના સંકટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 કુલ 2.53 કરોડ ટેસ્ટ કરાયાં
કોરોના સંકટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 કુલ 2.53 કરોડ ટેસ્ટ કરાયાં

કોરોના સંકટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 કુલ 2.53 કરોડ ટેસ્ટ કરાયાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કવાયત કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. દરમિયાન અત્યાર સુધીમાં કોવિડ-19ને લઈને લગભગ 2.53 કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે એક દિવસમાં  RT-PCR ના 44,666 એન્ટીજનના 17892 ટેસ્ટ મળી કુલ- 62558 ટેસ્ટ કરાયાં હતા. એટલું જ નહીં અત્યાર સુધીમાં RT-PCR ના 91,55,936 અને એન્ટીજનના ટેસ્ટ 1,61,99,857 મળી કુલ – 2,53,55,793 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં સરકારી ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં પણ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. આજે સરકાર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવે છે. જો કે, સરકારી લેબોરેટરીમાં આ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર બાદ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે દરરોજ સરેરાશ 50 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર દ્વારા આગોતરુ યોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં દર્દીઓના પરિવારજનોને સરળતાથી જરૂરી દવાઓ મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code