1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કેદીઓને અપાઈ કોરોનાની રસી

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કેદીઓને અપાઈ કોરોનાની રસી

0
Social Share
  • પ્રથમ દિવસે 77 કેદીઓને અપાઈ રસી
  • રસીકરણથી કેદીઓમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. હાલ 60 વર્ષથી વધુની વ્યક્તિઓ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને રસી આપવામાં આવી રહી છે. હવે તંત્ર દ્વારા જેલમાં બંધ કેદીઓને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાબરમતી જેલમાં કેદીઓને રસી આપવામાં આવતા તેમનામાં ખુશી ફેલાઈ છે. તેમજ તેમણે જેલ સત્તાવાળા અને સરકારનો આભાર માન્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી દરમિયાન અમદાવાદની સાબરમતી જેલની અંદર પણ કોરોનાની એન્ટ્રી થઈ હતી. હાલ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની રસી માટે અભિયાન ચાલી રહ્યું છે. 2500થી વધારે કેન્દ્રો ઉપર લોકોને રસી આપવામાં આવી રહી છે. દરમિયાન જેલમાં બંધ કેદીઓને પણ કોરોનાની રસી આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ રવિવારથી જેલની અંદર પણ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 77 વ્યક્તિઓને કોરોનાનો ડોઝ આપવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code