1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વલસાડ નજીક વંદેભારત ટ્રેનના એન્જિન સાથે ગાય અથડાતા એન્જિનને મોટું નુકસાન
વલસાડ નજીક વંદેભારત ટ્રેનના એન્જિન સાથે ગાય અથડાતા એન્જિનને મોટું નુકસાન

વલસાડ નજીક વંદેભારત ટ્રેનના એન્જિન સાથે ગાય અથડાતા એન્જિનને મોટું નુકસાન

0
Social Share

વલસાડ : ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનના એન્જિન સાથે પશુ અથડાવવાના બનાવ બન્યા બાદ વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત વલસાડના અતુલ નજીક નડ્યો હતો. ગાય આડે આવી જતા ટ્રેનના એન્જિનના આગળનો ભાગને સારૂએવું નુકશાન થયું હતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડના અતુલ સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેથી ટ્રેનના એન્જિનને મોટું નુકસાન પહોંચ્યું હતું. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો હતો. ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અમદાવાદ નજીક અકસ્માત નડ્યો હતો. 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું હતુ. એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો છે. જોવાની વાત એ છે કે, ત્રણેય અકસ્માત રખડતા ઢોરોને કારણે થયા છે. ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનો સાથે અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code