1. Home
  2. ગુજરાતી
  3. રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો
રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

0
Social Share

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે.

આ પછી મંદિરના દરવાજા બપોર 12થી 12.20 સુધી બંધ રહેશે. ભોગ અને આરતી માટે દર્શન પ્રવેશ પ્રતિબંધિત રહેશે. આરતી માટે બપોરે 3 સુધી દર્શન બંધ રહેશે. સાંજની આરતી માટે રાત્રે 10 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી ભક્તો પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

18મી એપ્રિલ સુધી VIPના દર્શન નહીં થાય
બપોરે 11:45 થી 12:20 સુધી ભગવાન રામની જન્મ આરતી માટે હનુમાનગઢીના દરવાજા બંધ રહેશે. રામ નવમી પર સાંજની આરતી 3 થી 3:20 સુધી થશે. પછી સાંજે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી સાંજની આરતી માટે પ્રવેશ બંધ રહેશે. રાત્રે 11:30 વાગ્યે હનુમાન લાલા સામાન્ય જનતા માટે બંધ રહેશે. હનુમાનગઢીના સિંહાસન પર બિરાજમાન મહંત પ્રેમદાસે દર્શનનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે.
રામ મંદિરમાં VIP દર્શન 18 એપ્રિલ સુધી પ્રવેશ બંધ છે. રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ પહેલીવાર રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાની ઉમ્મીદ છે, માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કડક સુરક્ષા વ્યવસ્થા
અધિકારીઓએ જણાવ્યું કે મેળાની સુચારૂ વ્યવસ્થા માટે સંપૂર્ણ મેળા ક્ષેત્રને કુલ સાત ઝોન અને 39 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થાને બે ઝોન અને 11 ક્લસ્ટરમાં વહેંચીને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code