1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળામાં ડિહાઈડ્રેશનની હાડકાં અને સ્નાયુઓ પર ખરાબ અસર પડે છે, જાણો શું કહે છે નિષ્ણાતો
ઉનાળામાં ડિહાઈડ્રેશનની હાડકાં અને સ્નાયુઓ પર ખરાબ અસર પડે છે, જાણો શું કહે છે નિષ્ણાતો

ઉનાળામાં ડિહાઈડ્રેશનની હાડકાં અને સ્નાયુઓ પર ખરાબ અસર પડે છે, જાણો શું કહે છે નિષ્ણાતો

0
Social Share

તડકા અને હીટસ્ટ્રોકના કારણે સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ રહી છે. તેનાથી ગંભીર ખેંચાણ અને પીડા થાય છે. તેને સ્નાયુઓમાં ખંચાણ પણ કહેવાય છે. ઓછું પાણી પીવા અને શરીરમાં પાણીની કમીના કારણે હાડકાઓ સૂકાઈ રહ્યા છે. જેના કારણે લોકોને ઘુંટણના નીચે, ખભા, કોણી અને ગળામાં દુખાવો થઈ શકે છે.

જ્યારે શરીરના બહારનું તાપમાન અંદરના તાપમાનથી વધી જાય છે, તો પરસેવો આવે છે. તેનાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડી જાય છે. એવામાં સ્નાયુઓ અને હાડકાઓમાં દુખાવો થવા લાગે છે.

આ ઋતુમાં ખૂબ પાણી અને બીજા લિક્વિડ ડાયટ લેવી જોઈએ. બપોરના સમયે તડકામાં બહાર જવાથી બચો. તમારા ખોરાકમાં ફળ અને શાકભાજી જેવી હેલ્ધી વસ્તુઓની માત્રા વધારો.

નિષ્ણાતો મુજબ, આ દિવસોમાં હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક સાથે ઘણા દર્દીઓ આવે છે. તેમને થાક, ઉલ્ટી, ઝાળા, ચક્કર, ગભરાહટ, બેહોશી, માથાનો દુખાવો અને પેટમાં ખેંચાણ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ ઋતુમાં વધારે કેફીન અને આલ્કોહોલથી બચો. આ ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. જો તમે વધારે સમય સૂધી તડકામાં રહો છો તો એવા શાકભાજી કે ફળ ખાઓ જેનાથી તમારા શરીરમાં પાણીની કમી ના થાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code