1. Home
  2. ગુજરાતી
  3. કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ
કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

0
Social Share

ગાંધીનગર : ગુજરાતના પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ધાળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીત રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું.

આ ઉપરાંત અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી છે. ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે. 1990માં ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે. વર્લ્ડ હેરિટેજમાં ધોળાવીરાને સ્થાન મળતા હવે દેશ-વિદેશના પ્રવાસીઓ પણ ધોળાવીરાની મુલાકાતે આવશે તોના લીધે કચ્છનો પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થશે. કચ્છના સુવર્ણ તબક્કા તરીકે જેની ગણના આવનારા ભવિષ્યમાં થશે, એ ધોળાવીરાથી કાઢવાંઢ રણ વચ્ચેનો માર્ગ સંપૂર્ણ સંપન્ન થઇ ગયો છે અને એકાદ-બે દિવસ જો ત્યાં વરસાદ નહીં પડે તો ભુજથી ધોળાવીરા 120 કિ.મી.ના અંતરે આવી ઊભું રહેશે. એટલે હવે ભૂજથી ધોળાવીરા પહોંચવું વધુ આસાન બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code