1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

0
Social Share

દિલ્હી:એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ દિલ્હીથી પેરિસ જઈ રહી હતી.ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI143 (દિલ્હી-પેરિસ)ને પરત બોલાવવામાં આવી હતી.હાલમાં દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં કુલ 231 મુસાફરો હાજર હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ફ્લૅપની સમસ્યા હતી. આ કારણે તરત જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ફ્લૅપ કોઈપણ એરક્રાફ્ટનો મહત્વપૂર્ણ ભાગ છે.તેના દ્વારા લેન્ડિંગ એરસ્પીડને નિયંત્રિત કરવામાં આવે છે.જો તેમાં ટેક્નિકલ ખામી હોય તો લેન્ડિંગ એરસ્પીડ વધી જાય છે.હવે એર ઈન્ડિયાના વિમાનમાં ફ્લૅપ થવાને કારણે શું સમસ્યા થઈ, તે હજુ સ્પષ્ટ થયું નથી.

હવે આ પહેલીવાર નથી કે જ્યારે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ આ રીતે થયું હોય.માત્ર સ્થળ અલગ છે, એરલાઈન્સ અલગ હોઈ શકે છે, પરંતુ આ પ્રકારનું ઈમરજન્સી લેન્ડિંગ ઘણી વખત જોવા મળ્યું છે.થોડા દિવસો પહેલા હૈદરાબાદથી દુબઈ જઈ રહેલા એર ઈન્ડિયાના A320 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.ત્યારબાદ તે પ્લેનનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ફ્લાઇટ નંબર AI-951ની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે વિમાનને ઉતાવળમાં વાળવામાં આવ્યું હતું.આ દરમિયાન વિમાનમાં 143 મુસાફરો હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code