1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોનને લઈને નિષ્ણાંતોની ચેતવણીઃઆ વાયરસને ગંભીરતાથી જોવો જોઈએ, સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે
ઓમિક્રોનને લઈને નિષ્ણાંતોની ચેતવણીઃઆ વાયરસને ગંભીરતાથી  જોવો જોઈએ, સ્થિતિ  ગમે ત્યારે બગડી  શકે છે

ઓમિક્રોનને લઈને નિષ્ણાંતોની ચેતવણીઃઆ વાયરસને ગંભીરતાથી જોવો જોઈએ, સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે

0
Social Share
  • ઓમિક્રોનને ગંભીરતાથી લો
  • દેશમાં ગંભીર બની શકે છે સ્થિતિ
  • નિષ્ણાંતોે લોકોને આપી ચેતવણી

દેશભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસો પમ વધી રહ્યો છે, વધતા કોરોનાના કેસો વચ્ચે ઓમિક્રોન પરથી લોકોની નજર હટી રહી છે, જો કે આ વાયરસને ગંભીરતાથી લેવાની જરુર છે, આ વેરિએન્ટને કારણ સ્થિતિ ગંભીર સર્જાય શકે છે આવી ચેતવણી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહી છે.

જાન્યુઆરીના એક જ અઢવાટિયામાં દૈનિક કેસ પાંચ-સાત હજારથી વધીને ૧.૩૦ લાખની નજીક પહોંચી ગયા છે ત્યારે સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી બે સપ્તાહમાં દેશમાં પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે  દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસરે  પણ આ મામલે ચેતવણી આપતા કહ્યું કે, દેશમાં આવનારા દિવસોમાં કોરોનાના દૈનિક આંકડા ૪થી ૮ લાખ સુધી આવી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે ,આ મહિનાના મધ્ય સુધીમાં મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના નવા કેસની પીક જોવા મળી શકે છે. ત્રીજી લહેર ઓમિક્રોન વેરિઅન્ટના કારણે તિવ્ર ગતિએ ફેલાશે. જોકે, તેમણે રાહતના સંકેત આપતા કહ્યું કે દેશમાં માર્ચ પછી ત્રીજી લહેર રહેવાની શક્યતા ઓછી છે.

દેશની નામાકિંત હોસ્પિટલના ડોક્ટર સુશીલા કટારિયાએ  પણ ઓમિક્રોનને લઈને ચેતવણી આપી છે તેમણે  જણાવ્યું કે, લોકોએ સંતોષ પામવાની જરૂર નથી, કારણ કે આવનારા અઠવાડિયા ચેલેન્જ સમાન સાબિત થી શકે છે. આ દરમિયાન સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ જ દિવસમાં કોરોનાના કેસમાં પાંચ ગણો વધારો થઈ ગયો છે. કોરોના માત્ર ફ્લૂ નથી કે માત્ર પસાર થઈ જશે. આપણે ગયા વર્ષે પણ કોરોનાની બીજી લહેરની સ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ ત્યારે હવે આપણે સતર્ક હરેવાની જરુર છે અને આ સ્થિતિને ગંભીરતાથી લેવાની પણ જરુર છે.

નિષ્ણાતોએ જણાવ્યું કે ઓમિક્રોનના કારણે મૃ્તયુ નથી થતા તે વાત ખોટી છે., ઓમિક્રોનના કારણે પણ કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે. આ એક માઈલ્ડ વાઈરસ હોઈ શકે છે, પરંતુ તેનાથી આત્મસંતુષ્ટ થવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે જ્યારે પણ કોઈને આ રોગની લાક્ષણિકતાઓ જણાઈ તો પોતાની જાતને ક્વોરોન્ટાઈન કરી લેવી જોઈને લોકોના સંપ્રકમાં ન આવવું જોઈએ જાતે જ આ નિયમોને અનુસરીશું ત્યારે જ કેસનું સંક્રમણ ઘટશે,

આ સાથે જ દરમિયાન મિશિગન યુનિવર્સિટીમાં બાયોસ્ટેટિસ્ટિક્સનાં પ્રોફેસર ભ્રમર મુખરજીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ભારતમાં બીજી લહેરમાં માર્યા ગયેલા દર્દીઓની સરખામણીમાં ત્રીજી લહેરમાં ૫૦ ટકા લોકોના મોત થવાની આશંકા છે.તેમણે પણ કોરોના બબાતે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code