1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવા કોરોનાની દહેશત – બ્રિટનથી મધ્યપ્રદેશ પરત ફર્યા 92 યાત્રી- ભોપાલના 20 લોકોને આઈસોલેટ કરાયા
નવા કોરોનાની દહેશત – બ્રિટનથી મધ્યપ્રદેશ પરત ફર્યા 92 યાત્રી- ભોપાલના 20 લોકોને આઈસોલેટ કરાયા

નવા કોરોનાની દહેશત – બ્રિટનથી મધ્યપ્રદેશ પરત ફર્યા 92 યાત્રી- ભોપાલના 20 લોકોને આઈસોલેટ કરાયા

0
Social Share
  • ભારતમાં પણ નવા કોરોનાના પ્રકારને લઈને ભય
  • બ્રિટનથી પરત ફરેલા 20 લોકોને આઈસોલેટ કરાયા
  • 92 યાત્રીઓ  બ્રિટનથી મધ્યપ્રદેશમાં પરત ફર્યા

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા પ્રકારનો ભય સતત વધી રહ્યો છે. જેને લઈને ભારતમાં પણ બ્રિટનથી પરત આવતા મુસાફરોની શોધ ખુબ ઝડપી ચાલુ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીએ મધ્યપ્રદેશમાં બ્રિટનથી પાછા ફરતા 92 લોકોની જાણ કરી છે, ત્યારબાદ તે તમામ લોકોના નમૂના લેવામાં આવ્યા છે. આ યાત્રીઓમાંથી 34 ધુ ઈન્દોરના છે, જ્યારે ભોપાલથી ૨૦, જબલપુરના 11 અને ગ્વાલિયરના 8 છે. બાકીના જિલ્લાઓમાંથી એક કે બે મુસાફરો યુકેથી પરત ફર્યા છે.

મળતી માહિતી મુજબ લંડનથી ભોપાલ પરત ફરતા લોકો શાહપુરા, ઇદગાહ હિલ્સ, એરપોર્ટ રોડ, માલવીય નગર અને શક્તિ નગર વિસ્તારોના છે. આ તમામની તપાસ આરટીપીઆર દ્વારા એરપોર્ટ પર કરવામાં આવી હતી. જો કે, કોઈ પણ મુસાફરોમાં નવા કોરોના સ્ટ્રેનનાં લક્ષણો મળ્યાં નથી. એડીએમ દિલીપ યાદવે કહ્યું કે આ બધાએ કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ અંતર્ગત, ભોપાલના તમામ 20 લોકોને અલગ રાખવામાં આવ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે, યુકેથી ભોપાલ પાછા ફરેલા તમામ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જો કે, એસડીએમ તેમના આરોગ્ય વિશે જાણકતારી મેળવશે. આ ઉપરાંત એસ.ડી.એમ.ને સુચના આપવામાં આવી છે કે, જો આ લોકોમાંથી કોઈને  પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેમણે તાત્કાલિક ઘોરણે વહીવટીતંત્રને જાણ કરવી જોઈએ

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code