1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મહામારીને પગલે હવે દરરોજ 3 લાખ રેમેડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન થશે
કોરોના મહામારીને પગલે હવે દરરોજ 3 લાખ રેમેડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન થશે

કોરોના મહામારીને પગલે હવે દરરોજ 3 લાખ રેમેડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન થશે

0
Social Share
  • 20 પ્લાન્ટમાં થાય છે ઈન્જેકશનનું ઉત્પાદન
  • વધારે 20 પ્લાન્ટને અપાઈ મંજૂરી
  • ઈન્જેકશનની કિંમતોમાં કંપનીઓએ કર્યો ઘટાડો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ ઓક્સિજન અને રેમેડેસીવીર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજનની અછતના નિવારણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી 15 દિવસમાં રોજ રેમેડેસીવીરના 3 લાખ ઈન્જેકશન તૈયાર કરવાનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. બીજી તરફ મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની અપીલ બાદ ઈન્જેકશન બનાવતી કંપનીઓએ ઈન્જેકશનની કિંમતમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્રીય રસાયણ અને ખાતર વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ જણાવ્યું હતું કે, આગામી 15 દિવસમાં રોજ રેમેડેસીવીરના 3 લાખ ઇન્જેક્શન તૈયાર કરવામાં આવશે. હાલના 20 ઉત્પાદન પ્લાન્ટ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 20 વધુ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં ઈન્જેકશનની કિંમત ઘટાડવા માટે તમામ કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી. જે બાદ તમામ કંપનીઓએ તેનો રિટેલ ભાવ ઓછા કરી દીધો છે. કંપનીઓ દ્વારા સરકારના આગ્રહના કારણે ઈન્જેશનની કિંમતમાં લગભગ 70 ટકા જેટલો ઘટાડો કર્યો છે. બીજી તરફ ઈન્જેકશનની માગ વધતા કેન્દ્ર સરકાર દ્વારા ઈન્જેકશનનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટિવટર કરીને જણાવ્યું હતું કે, ‘સરકારની દખલને કારણે રેમેડેસિવીર ઈન્જેકશનના ભાવ ઘટાડવામાં આવ્યા છે.’ આ ડ્રગ કંપનીઓનો આભારી છું કે તેઓએ કોવિડ 19 રોગચાળો સામે લડવામાં સરકારને ટેકો પૂરો પાડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code