1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં, જાણો કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા
કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં, જાણો કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં, જાણો કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

0
Social Share
  • કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર મોટા ફેરફારો
  • આ વર્ષે પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં
  • રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં.કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મધ્ય એશિયાના દેશોમાંથી કોઈ વિદેશી મુખ્ય અતિથિ નહીં હોય.સરકારે પાંચ મધ્ય એશિયાઈ દેશો (કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન) ના રાજ્યોના વડાઓને આમંત્રણ મોકલ્યા હતા પરંતુ હવે આ યોજનાઓ રદ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટના ઝડપી ફેલાવો અને કઝાકિસ્તાનમાં તાજેતરના હિંસક વિરોધના પરિણામે 220 થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે.રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે,કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકાવારી ઘટીને લગભગ 5,000-8,000 આસપાસ આવશે.ગયા વર્ષે પરેડમાં લગભગ 25,૦૦૦ લોકોને સામેલ થવાની અનુમતિ દેવામાં આવી હતી.

ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા,પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના કારણે જોનસને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. જે બાદ ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

રાજદ્વારીએ જણાવ્યું હતું કે,મધ્ય એશિયાઈ રાજ્ય અને ભારત હવે રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે છ દેશોના નેતૃત્વની વર્ચ્યુઅલ સમિટ માટે દબાણ કરી રહ્યા છે, જોકે આ માટેની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. જો કે, આ વર્ષે ગણતંત્ર દિવસ માટે આમંત્રિતોની યાદીમાં બાંધકામ કામદારો, સફાઈ કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને ઓટો-રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે.

માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે,IIT-દિલ્હીના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે, બીટિંગ રિટ્રીટ પ્રોગ્રામ દરમિયાન પ્રથમ વખત 1000 ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવશે.ચીન, રશિયા અને બ્રિટન પછી ભારત ડ્રોન શો યોજનાર ચોથો દેશ હશે.માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલ 12 ઝાંખીઓની અંતિમ યાદીમાં તમિલનાડુની ઝાંખીનો સમાવેશ થઈ શક્યો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code