1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યનાપૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયાને CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર નિયુક્ત
રાજ્યનાપૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયાને CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર નિયુક્ત

રાજ્યનાપૂર્વ નાણા સચિવ હસમુખ અઢિયાને CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર નિયુક્ત

0
Social Share
  • પૂર્વ નાણા સચિવ અઢિયાની CM  પટેલના મુખ્ય સલાહકાર નિયુક્ત
  • તેઓ ભારતીય વહીવટી સેવાના ગુજરાત કેડરના 1981 બેચના અધિકારી

અમદાવાદઃ- દેશના પૂર્વ નાણાં સચિવ ડો.હસમુખ અઢિયાને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે. ભારતીય વહીવટી સેવાના ગુજરાત કેડરના 1981 બેચના અધિકારી અઢિયા પીએમ નરેન્દ્ર મોદી અને દિવંગત નાણામંત્રી અરુણ જેટલીના નજીકના રહ્યા છે.

આસાથે જ ગુજરાત સરકારના માર્ગ અને મકાન બાંધકામ વિભાગના પૂર્વ સચિવ એસ.એસ. રાઠોડને મુખ્યમંત્રી ભૂપેન્નાજ્ર પટેલમા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોદી વડાપ્રધાન બન્યા બાદ કેન્દ્ર સરકારમાં સેવા આપવા માટે અઢિયાને નવેમ્બર 2014માં દિલ્હી લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓ  નાણા સચિવ બન્યા. તેમનો રાજકોટના વાંકાનેરમાં થયો હતો. તેમણે ઘણા મહત્વના પદ પર કામ કર્યું હતું.

હસમુખ અઢિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ ગુજરાત કેડરના 1981 બેચના IAS છે. તેઓ મોદી સરકારમાં મહેસૂલ સચિવ હતા, ત્યારબાદ તેમને નાણા મંત્રાલયના સૌથી મોટા અધિકારી પણ બનાવવામાં આવ્યા હતા. GST અને નોટબંધીના અમલ પાછળ તેમનો મોટો હાથ માનવામાં આવે છે.તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.

ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code