1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રજા લઈને મતદાન નહીં કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રજા લઈને મતદાન નહીં કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રજા લઈને મતદાન નહીં કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે ચૂંટણી પંચ સાથે કરાર કર્યા છે. આ કરાર અનુસાર, કોર્પોરેટ હાઉસ તેમના કર્મચારીઓ ચૂંટણીમાં તેમના મતનો ઉપયોગ કરે છે કે નહીં તેની દેખરેખ રાખશે. આ સાથે જે કર્મચારીઓએ વોટ નથી કર્યો તેમના નામ કંપનીની વેબસાઈટ અને નોટીસ બોર્ડ પર લખવામાં આવશે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, “અમે 233 એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા છે જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત અમારી પાસે 1,017 ઔદ્યોગિક એકમો ચૂંટણીમાં દેખરેખ રાખશે.

અહેવાલ મુજબ, ચૂંટણી પંચે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓને મતદાન કરનાર કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા જણાવ્યું હતું. જે લોકો મતદાનના દિવસે રજા લેતા હતા પરંતુ મતદાન કરતા નહોતા તેમના પર નજર રાખવા આમ કરવા કહ્યું હતું.

પી ભારતીએ જણાવ્યું હતું કે, “અમારી પહોંચ વિસ્તારવા માટે, અમે ગુજરાતમાં 100 કે તેથી વધુ લોકોને રોજગારી આપતા ઉદ્યોગો પર દેખરેખ રાખવાનું નક્કી કર્યું છે. આ એકમોમાં નોડલ ઓફિસર તરીકે માનવ સંસાધન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મતદાન નથી કરતા તેમની યાદી તૈયાર કરીશું. આ સાથે , તેઓ તેમની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર આ લોકોના નામ પણ લખશે. એ જ રીતે જે લોકો મતદાન નહીં કરે તેમના પર નજર રાખવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code