1. Home
  2. ગુજરાતી
  3. તમને પણ શરીર પર આ પ્રકારના નિશાન જોવા મળે તો, તરત જ કરજો ડોક્ટરનો સંપર્ક
તમને પણ શરીર પર આ પ્રકારના નિશાન જોવા મળે તો, તરત જ કરજો ડોક્ટરનો સંપર્ક

તમને પણ શરીર પર આ પ્રકારના નિશાન જોવા મળે તો, તરત જ કરજો ડોક્ટરનો સંપર્ક

0
Social Share

જ્યારે પણ પોતાની સારવાર કે ધ્યાન રાખવાની વાત આવે ત્યારે આપણા દેશમાં મોટાભાગના લોકો આળશ કરતા હોય છે. દરેક લોકો ઈચ્છે છે કે તેઓને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન મળે, લોકોને આ પ્રકારે જીવન મળે પણ છે પણ ક્યારેક પોતાની આળસના કારણે તેઓ આગળ જતા હેરાન પણ થતા હોય છે. હાલ વાત કરીએ ચામડીને લગતા રોગની તો, મોટાભાગના લોકોને આ બાબતે જાણ હોતી જ નથી અને તેઓ હેરાન થતા રહેતા હોય છે.

જો તમને પણ શરીરના કોઈ પણ ભાગમાં, ખંજવાળ વધારે પ્રમાણમાં આવે તો આ બાબતે તેમણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આ ચામડીને લગતી પણ સમસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે, તો અર્ટિકેરિયાનો રોગ ભલે કોઈને પણ થઈ શકે, પરંતુ બાળકો અને 20 વર્ષથી લઈને 40 વર્ષની વય લોકોને આ રોગનું જોખમ વધું હોય છે.

આ ઉપરાંત તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો પહેલેથી જ કોઈ એલર્જીક બીમારી છે, તો પ્રદૂષણને કારણે તમારી બીમારી વધી શકે છે. તેથી માસ્ક પહેરવાનો પ્રયાસ કરો અને પુષ્કળ પાણી પીવો જેથી તમારા શરીરના ભાગોને ઓછામાં ઓછું નુકસાન ન થાય.

ક્યારેક તો ખાવાના કારણે પણ આ પ્રકારે સમસ્યાઓ થતી હોય છે. ખાવાની ખોટી આદતો આ રોગ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રોગમાં સૌ પ્રથમ ત્વચા પર લાલ ફોલ્લીઓ દેખાય છે જેમાં દર્દીને તીવ્ર ખંજવાળ આવે છે. કેટલીકવાર આ ફોલ્લીઓ જાતે જ દૂર થઈ જાય છે, પરંતુ જો દૂર ન થાય તો ચોક્કસપણે ત્વચારોગ નિષ્ણાંતની સલાહ લો.

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઈને કોઈ પણ સમસ્યા જણાય તો તેમણે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, આ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારના ઉપાય ઘરે જાતે ડોક્ટરને બતાવ્યા વિના કરવા જોઈએ નહી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code