1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી
ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી

ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી

0
Social Share

અમદાવાદઃ દેશભરમાં રામનવમીનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખંભાત અને હિંમતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારોનો બનાવ વન્યો હતો. આણંદના સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આણંદના ખંભાત શહેરમાં રામનવમી શોભાયાત્રા પર કેટલાક તોફાની શખસોએ પથ્થરમારો કરતા  સ્થિતિ વણસી હતી. ત્યારબાદ લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. શહેરના મુખ્ય બજારમાં આવેલી કેટલીક દુકાનોમાં આગ ચાંપી બનાવોએ પોલીસને દોડતી કરી હતી. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમોને ખંભાતમાં ખડકી દેવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણે જણાવ્યું હતું કે, ખંભાતમાં પથ્થરમારાનો મેસેજ મળતાં જ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના પગલે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આમ છતાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

ખંભાત ઉપરાંત હિંમતનગરમાં પણ રથયાત્રા પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બુલેટ અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે.

હિંમતનગરમાં પથ્થરમારા અને વાહનોમાં આગચંપીના બનાવમાં પોલીસે 15થી વધુ અસામાજીક તત્વો અને તોફાનીઓની ઘરપકડ કરી છે. પોલીસે શોભાયાત્રાના ઘર્ષણ બાદ સ્થિતિને કાબૂમાં મેળવી લીધી છે અને કોમ્બિંગની કામગીરી શરૂ કરી છે. હિંમતનગરમાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણ કાબૂમાં હોવાનું પોલીસ કહી રહી છે. રેન્જ આઈજી સહિત 3 એસપી કક્ષાના અધિકારીઓ હિંમતનગર આવી પહોંચ્યા છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 10 પોલીસકર્મીઓ ઘાયલ છે. જ્યારે 3 SRP કંપનીઓને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code