1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે આજે ભારતીયો યાદ કરી રહ્યાં છે ઈન્દિરાજી અને અટલજીને, જાણો કેમ
યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે આજે ભારતીયો યાદ કરી રહ્યાં છે ઈન્દિરાજી અને અટલજીને, જાણો કેમ

યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે આજે ભારતીયો યાદ કરી રહ્યાં છે ઈન્દિરાજી અને અટલજીને, જાણો કેમ

0
Social Share

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા ભારતીય ચિંતિત છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ યુક્રેનને સંકટમાં જોઈને પાકિસ્તાન અને ચીન જેવા પડોશીઓ વચ્ચે ભારત પોતાની પરિસ્થિતિઓ ઉપર મંથન અને ગહન ચિંતન કરી રહ્યું છે. આજે સમગ્ર દેશની જનતા આર્યન લેડી તરીકે દેશ-દુનિયામાં જાણીતા થયેલા ઈન્દિરા ગાંધીજી અને અટલ વાજપાયજીને યાદ કરી રહ્યાં છે. તેનું પણ એક ચોક્કસ કારણ છે. પરમાણુ તાકાત આજના સમયમાં પાવરફુલ દેશ બનવાનું હથિયાર છે. અમેરિકા, રશિયા અને ભારત સહિત દુનિયાના અનેક દેશો પરમાણુ બોમ્બની તાકાત ધરાવે છે. આવા સમયે આજે ભારતીયો દેશને પરમાણુ બોમ્બથી તાકાતવાર બનાવનારા તમામ મહાનુભાવોને યાદ કરી રહ્યાં છે.

કારગિલ યુદ્ધ દરમિયાન અમેરિકાના વાઈટ હાઉસમાંથી એક ફોન ભારતના વડાપ્રધાન અટલજી પાસે આવ્યો હતો. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને ફોન ઉપર કહ્યું હતું કે, તેમને નવાઝ શરીફનો ફોન હતો. તેમણે અંદેશો કે પાકિસ્તાની સેના પરમાણુ બોમ્બનો ઉપયોગ ના કરે. અમેરિકાના રાષ્ટ્રપતિના આ શબ્દો સાંભળીને બાજવાયીજીએ આકરો જવાબ આપ્યો હતો. આ જવાબથી પાકિસ્તાન જ નહીં અમેરિકા પણ ચોંકી ઉઢ્યું હતું. તે સમયે વાજપાયીજીએ કહ્યું હતું કે, પાકિસ્તાનને પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવા દો… હું તમને વિશ્વાસ આપુ છુ કે, પાકિસ્તાન આવતીકાલનો સુરજ નહીં જોઈ શકે.

બે દાયકા પહેલાની વાજપાયીજીની એ અટલલાઈન આજે તમામ ભારતીયોને ગર્વ અપાવે છે. નવા ભારતની તાકાતથી પડોશી દેશ પાકિસ્તાન અને ચીન પણ માહિતગાર છે. ભારત પાસે દુનિયાનું મહિનાશક હથિયાર કહેવાતા પરમાણુ હથિયાર છે. 14મી ફેબ્રુઆરીએ જ્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે દેશમાં સોશિયલ મીડિયા ઉપર 11મી મે 1998નો અટલજીનો પોખરણ પરમાણુ પરિક્ષણની જાહેરાતનો વીડિયો રિપ્લે કરતા જોવા મળ્યો હતો. જ્યારે તેમણે સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરતા દુનિયાના વિવિધ દેશો પણ ચોંકી ઉઠ્યાં હતા. અમેરિકા પ્રતિબંધોની ધમકી આપી હતી પરંતુ ભારતના ઈરાદાઓ મજબુત હતા. આજે અટલજીને તેમના આ સાહસ અંગે યાદ કરે છે.

લોકો કહે છે કે, ભારત આજે પરમાણુ સંપન્ન ન હોય તો યુક્રેન જેવી હાલત કદાચ ભારતની પણ થઈ હોત. ભારતની પરમાણુ શક્તિ પાછળ ઈન્દિરાજી અને અટલજીની દ્રઢ ઈચ્છાશક્તિની સાથે હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઈ, એપીજે અબ્દુલ કમાલને પણ લોકો યાદ કરીને મનમાંને મનમાં શ્રદ્ધાંજલી આપી છે. વૈજ્ઞાનિકોની મહેનત બાદ દેશમાં પહેલો ન્યુક્લિયર બોમ્બનું સફળ પરીક્ષણ 18મી મે 1974માં કર્યું હતું. પોખરણમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે બાદ 1998માં અટલજીએ ફરી એકવાર પરમાણુ પરિક્ષણ કરીને દુનિયાને ભારતની તાકાતનો પરચો આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code