1. Home
  2. ગુજરાતી
  3. ભારતના આ રાજ્યમાં છે ગણેશજીની હજારો વર્ષ જૂની મૂર્તિ,જાણો
ભારતના આ રાજ્યમાં છે ગણેશજીની હજારો વર્ષ જૂની મૂર્તિ,જાણો

ભારતના આ રાજ્યમાં છે ગણેશજીની હજારો વર્ષ જૂની મૂર્તિ,જાણો

0
Social Share

ભારતમાં ગણપતિની પૂજા કરનારો વર્ગ પણ મોટી સંખ્યામાં છે, જો વાત કરવામાં આવે મહારાષ્ટ્રની તો ત્યાં તો સમગ્ર મહારાષ્ટ્ર અને સાથે ગુજરાત પણ ગણપતિના તહેવારમાં ઉત્સાહી થઈ જાય છે અને આ સમયે ગુજરાતી અને મરાઠી લોકોના ચહેરા પર અનેરો આનંદ પણ જોવા મળતો હોય છે. હવે આ લોકોને જો ગણપતિની હજારો વર્ષ જૂની મૂર્તિ જોવી હોય તો તેમણે આ રાજ્યમાં જવું પડશે.

જાણકારી અનુસાર ભારતના એક રાજ્યમાં ભગવાન ગણેશની એવી મૂર્તિ છે, જે શિખર પર છે. કહેવાય છે કે ભગવાન પરશુરામ અને ગણપતિનો આ સંબંધ છે. તે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં છે. આ મુખ્ય સ્થાન બસ્તરના દંતેવાડા જિલ્લાનું ફરસપાલ ગામ છે, જ્યાં તે બૈલાદિલા ટેકરી પર આવેલું છે.

ગણપતિની આ ઐતિહાસિક પ્રતિમા લગભગ 3000 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી હતી અને તે આજે પણ એક રહસ્ય છે કે આખરે 3 ફૂટ ઊંચી પ્રતિમા કેવી રીતે ટેકરી પર મૂકવામાં આવી.

આ ગણેશ પ્રતિમા સાથે એક દંતકથા જોડાયેલ છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન ગણેશ અને પરશુરામ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. આ માન્યતા આખા બસ્તરમાં પ્રચલિત છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code