1. Home
  2. ગુજરાતી
  3. પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે ‘પહંડી’ વિધિનો આરંભ – PM મોદીએ રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી
પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે ‘પહંડી’ વિધિનો આરંભ – PM મોદીએ રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી

પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે ‘પહંડી’ વિધિનો આરંભ – PM મોદીએ રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી

0
Social Share
  • પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે ‘પહંડી’ વિધિનો આરંભ
  • PM મોદીએ પાઠવી દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ 

દિલ્હીઃ- દેશભરમાં આજે અષાઢી બીજના રોજ ઘૂમઘામથી રથયાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ,ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં રાજ્યભરમાંથી લાખો લોકો ભાગ લે તેવી અપેક્ષા સેવાઈ રહી  છે, કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે શહેરના તમામ માર્ગો પર ઓછામાં હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે.

ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજે ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં કાઢવામાં આવી રહી છે. પુરીમાં દેશભરમાંથી  લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે હાલ ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા માટેની ‘પહાંડી’ વિધિ શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારી બાદ બે વર્ષના ગાળા બાદ આ વખતે રથયાત્રામાં ભક્તોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.જેને લઈને ભક્તોમાં ભઆરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીએ તાજેતરના મન કી બાત રેડિયો પ્રસારણ દરમિયાન રથયાત્રા અને આપણી સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ વિશે શું કહેવું હતું તે પણ શેર કર્યું છે. પ્રધાનમંત્રીએ દરેકને, ખાસ કરીને વિશ્વભરમાં ફેલાયેલા કચ્છી સમુદાયને અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી હતી. આ આવતું વર્ષ દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે, એમ મોદીએ કહ્યું. રથયાત્રા એ ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલો તહેવાર છે અને ગુજરાતના કચ્છી સમુદાય તેમના નવા વર્ષની ઉજવણી કરે છે તે જ દિવસે ઉજવવામાં આવે છે.

 

આજના આ શુભ પ્પરસંગે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું છે કે રથયાત્રાના ખાસ દિવસે અભિનંદન. અમે ભગવાન જગન્નાથને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણને  બધા સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથે  તેઓ આશીર્વાદ આપીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code