પ્રાચીન શિલ્પ અને કલાકૃતિઓ ભારતને બ્રિટન પાસેથી ઝડપથી મળે તેવી ભારતીયોને આશા
નવી દિલ્હીઃ અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી શાસન કર્યું હતું. આ દરમિયાન અંગ્રેજો ભારતમાંથી અનેક કિંમતી વસ્તુઓ પોતાના દેશમાં લઈ ગયા હતા. દરમિયાન સાત શિલ્પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટિશ સરકારે નિર્ણય લીધો છે. ગ્લાસગોના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે. બ્રિટનમાં હજુ ભારતની અનેક પ્રાચીન વસ્તુઓ પડી છે. આ તમામ વસ્તુઓ ભારતને ઝડપથી પરત મળે તેવી આશા ભારતીયો રાખી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશનરની ટીમ તથા કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી વચ્ચે કરવામાં આવેલા કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી આપવામાં આવશે. આમાં દગડી શિલ્પ અને મૈસૂરના શાસક ટીપૂ સુલતાનની તલવારનો પણ સમાવેશ થાય છે. આ તલવાર હૈદરાબાદના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ 1905માં ત્યાંથી અંગ્રેજો લઈ ગયા હતા. 19મી સદીમાં ભારતના વિવિધ મંદિરોમાંથી શિલ્પ અને કલાકૃતિઓ ઈંગ્લેન્ડ લઈ જવામાં આવી હતી. જે પૈકી કેટલીક પ્રાચીન ચીજવસ્તુઓ એક હજાર વર્ષ જેટલી જૂની છે. તેમાં દુનિયાના સૌથી મોટા અને મોંઘા કોહિનૂર હિરાનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજો છત્રપતિ શિવાજી મહારાજની ભવાની તલવાર પણ ચોરી ગયા છે. હવે કોહિનૂર હિરો અને ભવાની તલવાર ઝડપથી મળે તેવી ભારતીયો આશા રાખી રહ્યાં છે.