1. Home
  2. ગુજરાતી
  3. INS સંધ્યાક જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું
INS સંધ્યાક જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું

INS સંધ્યાક જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું

0
Social Share

નવી દિલ્હીઃ INS સંધ્યાક જહાજને આજે ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં નેવલ ડોકયાર્ડના INS સંધાયકના લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા.

INS સંધ્યાક જહાજ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કલકત્તા ખાતે બનાવવામાં આવ્યું હતું તેમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકો છે. આ ડિઝાઇન અને યુદ્ધ જહાજના નિર્માણમાં ભારતની કુશળતાની પુષ્ટિ કરે છે. અંદાજે 3 હજાર 800 ટનની ક્ષમતા ધરાવતું આ 110 મીટર લાંબુ જહાજ બે ડીઝલ એન્જિનથી ચાલે છે.

સર્વેક્ષણ જહાજ સંધ્યાક દરિયાઈ નેવિગેશનમાં સુધારો કરશે. તે બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોનો સર્વે કરશે. દરિયાની ઉંડાઈમાં હાઈડ્રોગ્રાફિક સર્વે ઘણી માહિતી આપશે. આ સાથે તે નૌકાદળની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. તે મલ્ટિ-બીમ ઇકો-સાઉન્ડર્સ, સેટેલાઇટ આધારિત પોઝિશનિંગ સિસ્ટમ્સ અને પાર્થિવ સર્વેક્ષણ સાધનો સહિત અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક સાધનોથી સજ્જ છે.

નવું સર્વેક્ષણ જહાજ સાંધ્યક તેના અગાઉના વર્ઝનનું નોંધપાત્ર રીતે અપગ્રેડેડ વર્ઝન છે. જૂનું સંસ્કરણ 1981 થી 2021 સુધી ભારતીય નૌકાદળની સેવામાં હતું. બાદમાં તેને દૂર કરવામાં આવ્યો હતો. જૂના વર્ઝનની સરખામણીમાં નવું સર્વેક્ષણ જહાજ ઘણું અદ્યતન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંધ્યાક સેનાના 4 એડવાન્સ સર્વે શિપમાંથી એક છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code