1. Home
  2. ગુજરાતી
  3. ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વ જાહેર કર્યું, અમેરિકા, ભારત અને યુરોપિયન દેશોએ જાહેર કર્યો ટેકો
ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વ જાહેર કર્યું, અમેરિકા, ભારત અને યુરોપિયન દેશોએ જાહેર કર્યો ટેકો

ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વ જાહેર કર્યું, અમેરિકા, ભારત અને યુરોપિયન દેશોએ જાહેર કર્યો ટેકો

0
Social Share
  • ફ્રાન્સમાં 1 મહિનામાં હત્યાઓની બે ઘટના ઘટી
  • ફ્રાન્સે આ બંને ઘટનાઓને ઇસ્લામી આતંકવાદની ઘટના ગણાવી
  • આ બાદ ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વની જાહેરાત કરી

પેરિસ: ફ્રાન્સમાં 15 દિવસ પહેલાં એક ઇતિહાસ શિક્ષકની હત્યા કરાઇ હતી અને ત્યારબાદ ગઇ કાલે એટલે ગુરુવારે પણ એક શિક્ષકની ગળુ કાપીની નિર્મમ હત્યા કરી દેવાઇ હતી. આ બંને ઘટનાને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ ઇસ્લામી આતંકવાદની ઘટના ગણાવી હતી. આ બાદ ફ્રાન્સે હવે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્વની જાહેરાત કરી છે. જેને અમેરિકા, યૂરોપના દેશો અને ભારતે પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આપને જણાવી દઇએ કે ગઇકાલે એટલે કે ગુરુવારે ફ્રાન્સના નાઇસ સિટીમાં હુમલાખોરે એક ચર્ચમાં હુમલો કર્યો હતો અને એક મહિલાનું ગળુ કાપીને તેમજ અન્ય 2ની હત્યાને પણ અંજામ આપ્યો હતો. ફ્રાન્સે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો. આ બંને ઘટનાના સમગ્ર ફ્રાન્સમાં ઉગ્ર પડઘા પડ્યા હતા.

હવે ફ્રાન્સની સરકારે ઇસ્લામી આતંકવાદ સામે લડાઇની જાહેરાત કરી છે.

યોગાનુયોગે મલેશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન અને કટ્ટરવાદી મુસ્લિમ નેતા મહાતીર મુહમ્મદે પણ કેટલીક વિવાદિત ટ્વીટ કરી હતી અને ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે મુસ્લિમોને ફ્રાન્સના લોકોને મારવાનો અધિકાર છે. ફ્રાન્સે પોતાના ઇતિહાસમાં લાખો લોકોની હત્યા કરી હતી જેમાં અનેક મુસ્લિમો પણ હતા. મુસ્લિમોને આવા નરસંહારનો બદલો લેવા ફ્રાન્સની પ્રજાને મારવાનો અધિકાર છે. તેના આ વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર યૂરોપમાં રોષની લાગણી ફરી વળી હતી.

ટ્વીટરે આ ટ્વીટ્સ સામે એક્શન લેતા આ ટ્વીટને ડિલીટ કરી નાખી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની ટ્વીટ્સ અમારા નીતિ નિયમોનું વિરુદ્વની હતી. જો કે ત્યાર પછી પણ મહાતીરે એવી ટ્વીટ કરી હતી કે હજુ મુસ્લિમોએ આંખનો બદલો આંખની નીતિ અખત્યાર કરી નથી. આ નીતિ અખત્યાર કરશે તો શું થશે એની કલ્પના ફ્રાન્સને નથી.

નોંધનીય છે કે, મહાતીરની સાથે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને તૂર્કીના રાષ્ટ્રપ્રમુખ રજબ તૈયબે પણ ફ્રાન્સમાં ઇસ્લામના નામ પર થઇ રહેલી હત્યાઓ અને  હિંસાને વાજબી ઠરાવતી ટ્વીટ કરી હતી. તૂર્કીના પ્રમુખ રજબ તૈયબે કહ્યું હતું કે હું દુનિયાભરના મુસ્લિમોને હાકલ કરું છું કે ફ્રાન્સની ચીજો ખરીદશો નહીં. ફ્રાન્સે તૂર્કીની ચીજો ખરીદવી નહીં એવી હાકલ કરી છે તેમ હું તમને સૌને હાકલ કરું છું કે ફ્રાન્સની ચીજોનો બોયકોટ કરજો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code