1. Home
  2. ગુજરાતી
  3. જહાંગીરપુરી હિંસા કેસ: પોલીસની 14 ટીમો બનાવીને શરૂ કરાઈ તપાસ
જહાંગીરપુરી હિંસા કેસ: પોલીસની 14 ટીમો બનાવીને શરૂ કરાઈ તપાસ

જહાંગીરપુરી હિંસા કેસ: પોલીસની 14 ટીમો બનાવીને શરૂ કરાઈ તપાસ

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં ફાટી નીકળેલી હિંસાના પ્રકરણમાં પોલીસે 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ દિલ્હી ક્રાઈમબ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસની વિવિધ ટીમો બનાવીને હાલ અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.  દરમિયાન આજે પોલીસની ટીમ ઘટના સ્થળની મુલાકાત લઈન  પુરાવા એકત્ર કર્યાં હતા.

દિલ્હી પોલીસ કમિશનરએ જણાવ્યું હતું કે, હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સાંજે 6.15 વાગ્યે સરઘસમાં ઘર્ષણ થયું હતું. પથ્થરમારો શરૂ થયો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસામાં 9 લોકો ઘાયલ થયા છે, જેમાં 8 પોલીસ અને એક નાગરિક છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયાના વીડિયો ફૂટેજ વગેરેની દરેક એંગલથી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સ્પેશિયલ સેલને જવાબદારી સોંપવામાં આવી છે કે ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરીને આ કેસમાં કોણ પણ સામેલ હશે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે, હિંસાની તપાસ માટે 14 ટીમો બનાવવામાં આવી છે. દરેક એંગલથી તપાસ કરશે. ત્રણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે, ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમન કમિટી સાથે પણ બેઠક યોજી હતી. અમન સમિતિ દ્વારા પણ શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. CPAF તૈનાત કરવામાં આવી છે. તેને દિલ્હીના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ તૈનાત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા 23 લોકોમાં બંને પક્ષના છે. તપાસમાં જે પણ પુરાવા મળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code