ખેડબ્રહ્માઃ ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને ફટકારી બે વર્ષની સજા
ખેડબ્રહ્માઃ બેંકનો ચેર પરત ફરવાના કેસમાં ખેડબ્રહ્માની કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. તેમજ દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભરવામાં આરોપી કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે, એટલું જ નહીં ફરિયાદીને વળતર ચુકવવા માટે પણ નિર્દેશ કર્યો છે.
કેસની હકીકત અનુસાર, આરોપી કૌશીક જયંતીભાઈચૌહાણ, વાલરણ, તા ખેડબ્રહ્માએ ફરીયાદી રાધીવાડના જશપાલસિંહ રોહિતસિંહ રાઠોડ પાસેથી મિત્રતાના લીધે રૂા.૧,૦૫,૦૦૦/– ઉછીના લીધેલા હતા, આ હાથ ઉછીની રકમ પરત કરવા આરોપીએ ફરિયાદીને બેંક ઓફ ઈન્ડિયા ખેડબ્રહ્મા શાખાનો રૂા.૧,૦૫,,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ ચાલીસ હજાર પુરાની રકમનો ચેક આપેલ હતો. આ ચેક ફરીયાદીએ પોતાના બેંકના ખાતામાં ભરતા આરોપીના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ સદર ચેક સ્વિકારાયા વગર પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૧૧૨૯/૨૦૨૩ થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કમલેશ મંઘાણીની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલની દલીલોને કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપીને કસુરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદ અને ચેકની રકમ જેટલો જ રુ.૧,૦૫,૦૦૦ રૂપિયાનો દંડ ચુકવવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે. જ્યારે આરોપી દંડ ભરે તો તે રકમ ફરીયાદીને વળતર રુપે ચુકવવા હુકમ કરેલ છે.