1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રઃ આવકવેરા વિભાગના દરોડામાં ધનકુબેરનો ખજાનો મળો, 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત
મહારાષ્ટ્રઃ આવકવેરા વિભાગના દરોડામાં ધનકુબેરનો ખજાનો મળો, 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

મહારાષ્ટ્રઃ આવકવેરા વિભાગના દરોડામાં ધનકુબેરનો ખજાનો મળો, 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

0
Social Share

મુંબઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ એકશનમાં આવ્યું છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. જેમાં મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ, કાપડના વેપારી તથા રિયલ એસ્ટેડ ડેલવપર સામે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં કરોડોની બેનામી સંપત્તિ મળી આવી હોવાનું જાણવા મળે છે. રૂ. 390 કરોડની બેનામી સંપત્તિ આવકવેરા વિભાગે જપ્ત કરી હતી. જેમાં 58 કરોડની રોકડ, 32 કિલો સોનુ, હિરા-મોતી તથા કેટલીક મિલકતના દસ્તાવેજ મળ્યાં હતા.કરોડોની રોકડ અને સોનુ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

દરોડામાં મળેલી રોકડને ગણવામાં આવકવેરા વિભાગને લગભગ 13 કલાકનો સમય લાગ્યો હતો. આવકવેરા વિભાગે 1થી 8 ઓગસ્ટ દરમિયાન દરોડાની કાર્યવાહી કરી હતી. સમગ્ર રાજ્યમાંથી લગભગ 260 અધિકારી-કર્મચારી આ કાર્યવાહીમાં જોડાયાં હતા. આવકવેરા વિભાગની પાંચ ટીમોએ દરોડો પાડ્યો હતો.

કપડા અને સ્ટીલના વેપારીના ઘરમાંથી મળેલી રોકડને જાલનાની એસબીઆઈની શાખામાં લઈ જઈને ગણતરી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે, જાલનાની ચાર સ્ટીલ કંપનીના વ્યવહારમાં અનિયમિતતા છે. જેથી આઈટી હરકતમાં આવ્યું હતું. જેથી આઈટીએ વેપારીના ઘર અને વ્યવસાયના સ્થળો ઉપર દરોડો પાડીને તપાસ આરંભી હતી. શહેરની બહાર આવેલા તેમના ફાર્મ હાઉસમાંથી રોકડ અને સોના-હીરાના કેટલાક દાગીના મળી આવ્યાં હતા. આવકવેરાના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આઈટીના દરોડાની અંતે કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code