1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ : 6 લાખ વધુ લોકો સહભાગી બન્યા
ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ : 6 લાખ વધુ લોકો સહભાગી બન્યા

ગુજરાતમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ : 6 લાખ વધુ લોકો સહભાગી બન્યા

0
Social Share

ગાંધીનગરઃ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા ‘વીરો’ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું રાષ્ટ્રવ્યાપી અભિયાન મારી માટી મારો દેશ’નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તાપી ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જેને રાજ્યમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. અભિયાનના બે દિવસમાં રાજ્યના 5,501 ગામોમાં મહાનુભાવો/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનના પાંચ થીમ આધારીત કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી છે. બે દિવસમાં અંદાજિત 6,11,491 ગ્રામજનોએ સહભાગીતા નોંધાવી છે.

રાજ્યભરમાં તા.09 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી ગ્રામીણ સ્તરે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 16 ઓગસ્ટ 2023થી તાલુકા, નગરપાલિકા/મહાનગરપાલિકા અને રાજ્ય સ્તરે કાર્યક્રમો યોજાશે. રાજ્યના યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને એ આશયથી આ અભિયાનમાં સૌ નાગરિકોને સહભાગી બનવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે. જેને ગ્રામીણ વિસ્તારમાં ખુબ જ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

આ અભિયાનના બે દિવસો દરમિયાન થયેલા પાંચ થીમ આધારીત કાર્યક્રમોની ગ્રામીણ  કક્ષાએ થયેલી ઊજવણી દરમિયાન 5,501 ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં 5,215 શીલાફલકમની સ્થાપના કરાઈ છે. જ્યારે વસુધાવંદનમાં 4,06,025 રોપાઓનું વાવેતર કરાયું છે. દેશની આઝાદી માટે શહાદત વહોરનાર 15,130 શહિદ વીરો અથવા તેમના પરીવારોનું સન્માન કરાયું છે. આ ઉપરાંત રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી પંચપ્રણની 3,64,607 સેલ્ફીઓ અપલોડ થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આ કાર્યક્રમમા ઉપસ્થિત ગ્રામજનોએ હાથમા માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામા થઇ રહેલ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાઇ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code