1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર અને રાજકોટમાં મેઘકહેરઃ અતિભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા
જામનગર અને રાજકોટમાં મેઘકહેરઃ અતિભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા

જામનગર અને રાજકોટમાં મેઘકહેરઃ અતિભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન જામનગરના કાલાવાડ, લોધિકા અને વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેકગામોનો સંપર્ક સપાયો છે. બીજી તરફ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના કલેકટર સાથે વાત કરીને જરૂરી સુચન કર્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લકોને સલામત સ્થળે ખસેડવા માટે એરલિફ્ટની કવાયક શરૂ કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. દરમિયાન ગણતરીના કલાકોમાં જ 111 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં 12 ઈંચ, કાલાવડમાં 10 ઈંચ, લોધિકામાં 10 ઈંચ, ધોરાજીમાં 7 ઈંચ, ગોંડલમાં 4 ઈંચ અને જૂનાગઢમાં 4 ઈંચ તથા રાજકોટ શહેરમાં સાત ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. ગણતરીના કલાકોમાં જ ધોધમાર વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયાં છે. તેમજ જળાશયો પણ ઓવરફ્લો થયાં છે. રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયાં હતા અને જનજીવનને વ્યાપક અસર થઈ હતી. રાજકોટ શહેરના મેયરે કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે રામનાથ પરા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. અત્યાર સુધીમાં 700થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યો છે. મોજ નદીમાં ધોડાપૂરને લઈને બ્રિજને અસર થઈ હતી. જેથી વાહન વ્યવહાર કપાયો હતો. તેમજ નદીકાંઠા વિસ્તારમાં પાણી ઘુસી ગયા હતા.

જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં છે. મુખ્યમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.

જામનગરના જિલ્લાના અલિયાબાડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, બેરજા (પસાયા) પંથકમાં હોનારતના અહેવાલ મળી રહ્યા છે. જામનગર જિલ્લાની અનેક ગામ બેટમાં ફેરવાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે. જામનગરમાં ભારે વરસાદને પગલે ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોણુ બન્યું છે. જેના પગલે ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી છે. ભારે વરસાદને પગલે બેરાજા ગામમાં પણ પાણી પાણી થઈ ગયું છે. નવા બનેલ પુલ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે.

વરસાદને પગલે બેરાજા ગામમા ઘરોમાં પાણી ભરાયા છે. જામનગરના નાઘુના ગામમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. અલિયાબાડા ગામમાં ઢોર પાણીમાં તણાયા છે. ગામના રસ્તાઓ પર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલિયાબાડા ગામ ખાતે ગળાડૂબ પાણી છે. ગામના લોકોએ આખી રાત ધાબા પર વિતાવી હતી. સોમવારે સવારે વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી અને ગામના 25થી વધારે લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સવારે છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે ચાર કલાકમાં કાલાવડ તાલુકામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં છ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં છ ઇંચ વરસાદ પડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code