1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદી 72 વર્ષની ઉંમરે પણ ફિટ,યોગથી કરે છે દિવસની શરૂઆત,જાણો ડાયટ પ્લાન
નરેન્દ્ર મોદી 72 વર્ષની ઉંમરે પણ ફિટ,યોગથી કરે છે દિવસની શરૂઆત,જાણો ડાયટ પ્લાન

નરેન્દ્ર મોદી 72 વર્ષની ઉંમરે પણ ફિટ,યોગથી કરે છે દિવસની શરૂઆત,જાણો ડાયટ પ્લાન

0
Social Share

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્ષના છે. આ ઉંમરે પણ તેની એનર્જી અને ફિટનેસ દરેક માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ જાહેર મંચ પર હોય ત્યારે તેમની ઉર્જા અને ઉત્સાહ જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તેઓ 70 વર્ષથી વધુ ઉંમરના છે. પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે નરેન્દ્ર મોદી ખોરાકનું ખાસ ધ્યાન રાખે છે અને હેલ્ધી રૂટિન ફોલો કરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પર યોગને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ભારતને યોગ ગુરુ તરીકે રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. નરેન્દ્ર મોદી પોતે પણ યોગ અને કસરત કરે છે. તેના ફિટ બોડી પાછળ હેલ્ધી રૂટિન છે. તો આવો જાણીએ વડાપ્રધાન મોદીનો ફિટનેસ મંત્ર શું છે, જાણીએ તેમના ડાયટ પ્લાન અને યોગ અને કસરત વિશે.

નરેન્દ્ર મોદી છે યોગના અનુયાયી  

એ વાત જાણીતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગના સમર્થક છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ જરૂરી છે. નરેન્દ્ર મોદી યોગાસનના ફાયદાઓ વિશે જાણે છે. પીએમ મોદી દિવસની શરૂઆત મોર્નિંગ વોક અને ધ્યાનથી કરે છે. તેમજ નિયમિત રીતે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરે છે.

 પીએમ મોદીનો ડાયેટ ચાર્ટ

સ્વસ્થ રહેવા માટે વડાપ્રધાન મોદીએ સ્વસ્થ આહારને આદત બનાવી છે. તે ખોરાકને લઈને ખૂબ જ સખ્ત છે. પીએમ મોદી મસાલેદાર ભોજનથી દૂર રહે છે. ગુજરાતી ફૂડ અને ખીચડી તેનું ફેવરિટ ફૂડ છે. પીએમ મોદી સમયસર સંતુલિત આહાર લે છે. આ સાથે તાજા ફળો, શાકભાજી અને દહીંનું આહારમાં સેવન કરે છે. એક રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી પરાઠા અને મશરૂમનું સેવન કરે છે. અંકુરિત અનાજ પણ તેના ડાયટ ચાર્ટનો એક ભાગ છે.

હુંફાળું પાણીનું સેવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને હાઇડ્રેટ રાખવા માટે યોગ્ય માત્રામાં પાણી, જ્યુસ વગેરેનું સેવન કરે છે. પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવા માટે પીએમ મોદી વર્ષના 12 મહિના હુંફાળું પાણી પીવે છે. જાહેર સભાઓ અને રેલીઓમાં ભાષણ દરમિયાન અવાજ યોગ્ય રહે, તે માટે તે ગળાનું ધ્યાન રાખીને પણ ઠંડા પાણીનું સેવન ટાળે છે.

પીએમ મોદીની દિનચર્યા

એક રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણથી ચાર કલાકની ઊંઘ લે છે. એક્ટર અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ સવારે 5 વાગે ઉઠે છે. ત્યાર બાદ યોગ અને કસરત કરે છે. થોડો સમય ચાલે છે અને 9 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code