એર માર્શલ માનવેન્દ્રસિંહ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ કરશે, એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના છે પ્રમુખ
- તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ માનવેન્દ્રસિંહને સોંપાઇ
- તેઓ પોતે પણ હેલિકોપ્ટરના પાયલોટ છે
- સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ હશે
નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 12 અધિકારીઓના મૃત્યુ થયા હતા ત્યારે હવે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે. સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ હશે.
માનવેન્દ્રસિંહ હાલમાં એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના પ્રમુખ છે. તે ઉપરાંત તેઓ પોતે પણ હેલિકોપ્ટર પાયલોટ છે.
સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ અંગેની જાણકારી આપી હતી.તેમણે કહ્યુ હતુ કે, એમઆઈ-17 હેલિકોપ્ટરો ગઈકાલે સવારે 11-48 કલાકે સુલુર એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને તે 12-15 વાગ્યે આર્મીની વેલિંગ્ટન કોલેજ ખાતે ઉતરવાનુ હતુ પણ સુલુર એરબેઝના ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો 12-08 વાગ્યે સંપર્ક તુટી ગયો હતો.એ પછી સ્થાનિક લોકોએ આગના ભડકા જંગલોમાં જોયા હતા અને ત્યાં દોડી ગયા હતા અને બચાવ કામગીરી ચાલુ કરાઇ હતી.