1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ
કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

0
Social Share
  • કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઇને નવા દિશા-નિર્દેશો જારી કર્યા
  • વેક્સિન લેતા પહેલા આ 6 કામ ના કરવા જોઇએ
  • હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી વેક્સિનની ઑનલાઇન અપોઇન્ટમેન્ટ લઇ રહેલા લોકોને કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે 45થી મોટી ઉંમરના લોકોમાં કોરોના સંક્રમણ થવાનું જોખમ વધુ હોવાથી તે લોકોને પહેલા રસી અપાય તે આવશ્યક છે.

વેક્સિનેશન પહેલા આ 6 કામ ના કરવા માટે સરકારની ગાઇડલાઇન

  • અપોઇન્ટમેન્ટ વગર રસીકરણ માટે ના જાઓ. તમામ સ્લોટ્સનું બુકિંગ કોવિન રજિસ્ટ્રેશનના માધ્યમથી થઇ રહ્યું છે
  • કોઇપણ વ્યક્તિએ વિભિન્ન માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન ના કરાવવું જોઇએ
  • વેક્સિનેશનના દિવસે આલ્કોહોલ કે કોઇ બીજા માદક પદાર્થનું સેવન ના કરવું જોઇએ
  • રજિસ્ટ્રેશન સમયે અલગ-અલગ પ્લેટફોર્મ માટે અલગ-અલગ ફોન નંબર અને આઇડીનો ઉપયોગ ટાળવો અનિવાર્ય છે
  • વેક્સિન લીધા બાદ થતી આડ અસરથી ગભરાવું જોઇએ નહીં
  • કોવિન પર બીજા ડોઝ માટે નોંધણી કરાવવાની કોઇ જરૂર નથી

આ લોકોએ રસીકરણ ટાળવું જોઇએ

  • સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે તેમણે ચાર સપ્તાહને બદલે ત્રણ મહિનાની રાહ જોવી જોઇએ
  • આ ત્રણ મહિનાની પ્રતિક્ષા એ લોકોએ પણ કરવી પડશે જેમની પ્લાઝમા થેરેપીથી ઉપચાર કરવામાં આવ્યો છે અને એવા લોકો પણ જે પહેલી વેક્સિન લીધા બાદ કોરોના સંક્રમિત થયા હતા
  • કોઇ અન્ય બીમારીને કારણે કોઇ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય તો તે વ્યક્તિએ પણ 4-8 સપ્તાહના સમયની પ્રતિક્ષા કર્યા બાદ વેક્સિનેશન લેવી જોઇએ

ક્યારે લઇ શકાય કોવિશિલ્ડનો બીજો ડોઝ

જો તમે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હોય તો પ્રથમ ડોઝ લીધાના 12 થી 16 સપ્તાહ બાદ બીજો ડોઝ લઇ શકાય છે. તેના માટે કોવિડ પોર્ટલ આપ મેળે તારીખ જણાવી દેશે. પરંતુ જે લોકોએ પહેલા જ પોતાની અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી લીધી છે તે ઇચ્છે તો નિયત તારીખ પર બીજો ડોઝ લઇ શકે છે. તેઓ નવી ગાઇડલાઇન અનુસાર 84 દિવસના અંતર પર બીજા ડોઝ માટે સ્લોટ બૂક કરાવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code