1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

0
Social Share
  • ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ
  • ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ
  • વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે

નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષ સતત હંગામો કરીને કાર્યવાહી સ્થગિત કરી રહ્યું છે, જે ચર્ચા ચવન્ની, ખર્ચા રૂપૈયા જેવું છે. મંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વિપક્ષે સંસદમાં હંગામો બંધ કરવો આવશ્યક છે. ચોમાસા સત્ર દરમિયાન સરકારે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે તે વિપક્ષના કોઇપણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અગાઉ, વિપક્ષી પાર્ટીઓએ કહ્યું હતું કે, તેઓ કોરોના પર ચર્ચા કરવા માંગે છે પરંતુ તેનાથી દૂર ભાગી ગયા પછી તેણે કહ્યું કે, તે ખેડૂતના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, જો કે. તેઓ ફરીથી ભાગી ગયા.

હંગામો મચાવવાને બદલે તેઓએ ચર્ચામાં ભાગ લેવો જોઈએ. તેમણે કહ્યું કે ભગવાન વિપક્ષી પાર્ટીઓને સારું જ જ્ઞાન આપે અને તેઓ ઉત્પાદક સત્ર માટે ચર્ચામાં ભાગ લે. ઉથલપાથલને કારણે, ખેડૂત કાયદા, પેગાસસ સ્પાયવેર, કોવિડ -19 અને ફુગાવા સહિતના ઘણા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા સતત હંગામાને કારણે 19 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થયા બાદ કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, લોકસભાને સંભવિત 54 કલાકમાંથી માત્ર 7 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે રાજ્યસભાને શક્ય 53 કલાકમાંથી 11 કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હંગામાને કારણે કરદાતાઓના નાણાંનો બગાડ અત્યારસુધી સંસદે શક્ય 107 કલાકમાંથી માત્ર 18 કલાક કામ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code