1. Home
  2. ગુજરાતી
  3. નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે
નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે

નેવીની મોટી જાહેરાત,અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે

0
Social Share
  • નેવીની મોટી જાહેરાત
  • અગ્નિવીરની પ્રથમ બેચમાં 20% મહિલાઓ હશે
  • joinindiannavy.gov.in પર અરજી કરો

દિલ્હી:અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ભારતીય નૌકાદળમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા જુલાઈ 01, 2022 થી શરૂ થઈ ગઈ છે.આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં અગ્નિવીરોની ભરતીમાં પ્રથમ બેચમાં 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે.અગ્નિપથ યોજના હેઠળ નેવીમાં પણ મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. અગ્નિવીર SSR માટે અરજી કરવા માટે વ્યક્તિએ Join Navy – joinindiannavy.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેવીમાં અગ્નિવીર બનવા માટે અગ્નિપથ સ્કીમ હેઠળ નેવી અગ્નિવીર SSR પોસ્ટ્સ માટે 10 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ નોંધણી કરાવી છે.સરકારી નોકરી માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ કુલ 2800 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મહિલા ઉમેદવારો માટે 560 બેઠકો રાખવામાં આવી છે.

આ રીતે કરો નોંધણી  

  1. નોંધણી માટે પ્રથમ સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જાઓ.
  2. તે પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  3. આગલા સ્ટેપમાં તમારા રજિસ્ટર્ડ આઈડી વડે વેબસાઈટ પર લોગઈન કરો.
  4. હવે મેઈન પેજ પર ઉપલબ્ધ Current Opportunities પર જાઓ અને એપ્લાઇ બટન પર ક્લિક કરો.
  5. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

કોણ અરજી કરી શકે છે?

ભારતીય નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર SSR અને અગ્નિવીર MR ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અગ્નિવીર 12મું પાસ યુવક SSR માટે અરજી કરી શકે છે અને 10મું પાસ યુવક MR માટે અરજી કરી શકે છે. બંને માટે મહત્તમ વય મર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. 23 વર્ષની વય મર્યાદા આ વર્ષ માટે જ છે, આવતા વર્ષથી તે 21 વર્ષ જ રહેશે.

સેલેરી શું હોય ? 

ભારતીય નૌકાદળમાં અગ્નિવીરનો પગાર પ્રથમ વર્ષમાં 30 હજાર રૂપિયા હશે. બીજા વર્ષે 33 હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે 36 હજાર રૂપિયા અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા. જો કે, અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે પગારમાંથી 30 ટકા કાપવામાં આવશે. એ જ રીતે કેન્દ્ર સરકાર પણ આ ફંડમાં મૂકશે. ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી, કોર્પસ ફંડમાં જમા રકમ નિવૃત્તિના રૂપમાં વ્યાજ સાથે ઉપલબ્ધ થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code