1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના પુવલામાં આતંકી ગતિવિધિ સાથે જોડાયેલ બાબતને લઈને એનઆઈએના દરોડા
જમ્મુ કાશ્મીરના પુવલામાં આતંકી ગતિવિધિ સાથે જોડાયેલ બાબતને લઈને એનઆઈએના દરોડા

જમ્મુ કાશ્મીરના પુવલામાં આતંકી ગતિવિધિ સાથે જોડાયેલ બાબતને લઈને એનઆઈએના દરોડા

0
Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્નમીરમાં સતત આતંકવાદીઓની નજર રહેલી હોય છે આ સાથે જ અહીંના લોકોને ભડકાવીને બ્રેઈનવોશ કરીને આતંકી સંગઠનો સાથે જોડવામાં આવે છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્રારા સતત નજર રાખીને આતંકી પ્રવૃત્તિઓને નુિષ્ફળ બનાવવામાં આવે છે ત્યારે આજરોજ શુક્રવારે જમ્મુ કાશ્મીરના પુલવામાં એનઆઈએ દ્રારા અનેક સ્થળઓએ દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પુલવામા જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. જો કે, હજુ સુધી દરોડા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી.હાલ NIAની ટીમ જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડી રહી છે.

મળતી માહિતી મુજબ, આ દરોડા પુલવામા જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર ચાલી રહ્યા છે. આ દરોડા આતંકવાદી ફંડિંગ અને આતંકવાદીઓ સાથેના સંબંધોને લઈને કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ દરોડા કોના સ્થળો પર પાડવામાં આવી રહ્યા છે અને NIAના રડારમાં કોણ કોણ છે.એનઆઈએ ના અધિકારીઓ અનેક વાહનોમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પુલવામા જિલ્લામાં બે સ્થળો સેથારગુંડ અને ઉગરગુંડ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ના જવાનો સાથે NIAના જવાનોએ વહેલી સવારે આ સ્થળોએ રહેણાંક મકાનો પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે આ દરોડા આતંકવાદના કેસમાં NIAની તપાસનો એક ભાગ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code