1. Home
  2. ગુજરાતી
  3. સનામત ધર્મના અપમાન મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી સંગઠન ઉપર નિર્મલા સીતારમણના આકરા પ્રહાર
સનામત ધર્મના અપમાન મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી સંગઠન ઉપર નિર્મલા સીતારમણના આકરા પ્રહાર

સનામત ધર્મના અપમાન મામલે કોંગ્રેસ સહિત વિપક્ષી સંગઠન ઉપર નિર્મલા સીતારમણના આકરા પ્રહાર

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સનાતન ધર્મના અપમાન મામલે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટડાલિન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસની સાથે વિપક્ષ સંગઠનને પણ સનામત ધર્મના અપમાન મામલે આડેહાથ લીધું હતું. આ ઉપરાંત તેમણે જી20ની સફળતા મામલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દ્રમુક અને વિપક્ષી ગઠબંધન ભારત, હિન્દુ અ સનાતન ધર્મના વિરોધમાં છે. ઉદયનિધિ સ્ટાલિન લોકોની વચ્ચે ભાગલા પાડવાની સાથે ભેદભાવને વધારવા માટે સમાનત ધર્મ વિશે નિવેદન કરી રહ્યાં છે, એટલું જ નહીં સૌથી જુની રાજકીય પાર્ટી પણ આ સંગઠનોને સમર્થન કરે છે જે ભારતને તોડવા માગે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઉદનિધિ સ્ટાલિન ખુલ્લે આમ સનામત ધર્મને ખતમ કરવાની વાત કરી રહ્યાં છે. આમ સનાતન વિરોધી ડીએમકેની નીતિ સ્પષ્ટ છે.

નિર્મલા સીતરમણે જી20 અંગે કહ્યું કે, જી20 મૂળ રીતે એક વિત્તીય મંચ છે જેમાં ક્રિપ્ટો પરિસંપત્તિઓ, વૈશ્વિક ઋણ અને બ્રેટન વુડ્સ સંસ્થાઓ, આંતરાષ્ટ્રીય મુદ્રા મંચ અને વિશ્વ બેંકમાં સુધારાની આવશ્યક્તા જેવા મુદ્દા ઉપર સામુહિક કાર્યવાહી કરાઈ છે. ભારત તમામ મુદ્દા ઉપર આમ સહમતિ બનાવવામાં સફળ રહ્યું છે જે દિલ્હી પોષણામાં સ્પષ્ટ છે. મુદ્રા ટ્રેકમાં જી20નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, અને ભારતના રાષ્ટ્રપતિએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્દેશિત એક સુવિચારિત રીતે કહ્યું કે, બહુપક્ષીપ સંસ્થાઓમાં સુધારાની આવશક્યતા છે. આપણે સામુહિક કાર્યવાહીની જરુરીયાત છે અને ચર્ચાની પણ જરુર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code