1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે કરવા જોઈએ આ ઘરેલું ઉપચાર, દવાની નહી પડે જરુર
જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે કરવા જોઈએ આ ઘરેલું ઉપચાર, દવાની નહી પડે જરુર

જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે કરવા જોઈએ આ ઘરેલું ઉપચાર, દવાની નહી પડે જરુર

0
Social Share
  • કિટની માટે મશરની દાળનું પાણી બેસ્ટ ઓપ્શન
  • સફરજનનો સરકો પણ પથરીને ઓગાળે છે

પથરીની સમસ્યા જાણે આજકાલ સામાન્ય બની ગઈ છે, કેટચલાક લોકોને કિડનીમાં પથરી હોવાની સમસ્યા હોય છે ઘણી દવાઓ છત્તાં તે નીકળતી નથી અને વારંવાર દુખાવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે ન છૂટકે ઓપરેશન કરીને પથરી કઢાવવાનો વખત ાવે છે,પ મજો તમને કિડનીમાં પથરી છે તો તમારે કેટલાક ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ જેનાથી પથરી કુદરતી રીતે નીકળી શકે છે. અથવા તો પથરી ઓગળીને પેશાબ વાટે નીકળી જશે.જે લોકો ભોજન અને આરામથી ભરપૂર જીવન જીવે છે તેમને કિડની સ્ટોન થવાની શક્યતાઓ વધુ હોય છે. આ એક ગંભીર સમસ્યા છે, જેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો કિડનીને ખૂબ જ નુકસાન થાય છે. કિડનીમાં પથરી થવાનું મુખ્ય કારણ પાણીની ઉણપ પણ છે.

કિડનીમાં પથરીને ઓગાળવાના આ ઘરેલું ઉપાય જાણીલો

પુષ્કળ પાણી પીવો

પાણીની માત્રામાં વધારો કરો કારણ કે સ્ફટિકો પાણી સાથે તૂટી જાય છે અને દબાણ સાથે પણ બહાર આવે છે. દરરોજ ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવો અને વધુને વધુ પ્રવાહી આહાર લો.વધારે પડતું પાણી પીવાથી તમને શરીરના અડધા રોગોનો ભાર મુક્ત થશે,

મશુર દાળ

મશુરની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે તેનું પાણી પી લો. આ રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો  મસૂરનો પણ તેમ જ ઉપયોગ  કરી શકો છો. આ પથ્થરને ઓગળવાનું કામ કરશે.

લીંબુનો રસ અને ઓલિવ તેલ

હાર્વર્ડ હેલ્થના રિપોર્ટ પ્રમાણે જો માનીએ તો લીંબુનો રસ અને ઓલિવ ઓઈલનું મિશ્રણ કિડનીની પથરીમાં દવાની જેમ કામ કરે છે. પથરી દૂર થાય ત્યાં સુધી તેને રોજ પીવું જોઈએ.લીંબુનો રસ પથરીને તોડે છે અને તેને સરળતાથી બહાર કાઢવામાં ઓલિવ ઓઈલ મદદરૂપ છે.

સફરજન સરકો

સફરજનના વિનેગરમાં હાજર સાઇટ્રિક એસિડ પથ્થરને નાના કણોમાં તોડી નાખે છે. એપલ સીડર વિનેગર કુદરતી ડિટોક્સ તરીકે કામ કરે છે. દરરોજ ગરમ પાણી સાથે બે ચમચી એપલ સાઇડર વિનેગર લેવાનું શરૂ કરો તમારી પથરી ઓગળવાનું શરુ થશે

દાડમનો રસ

નેશનલ કિડની ફાઉન્ડેશન પ્રમાણે, દાડમ કુદરતી રીતે પથરીને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં સારા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.દરરોજ સવારે ભૂખ્યા પેટે તમે દાડમના રસનું સેવન કરી શકો છો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code