1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિનેમા થિયેટર્સ, અને મલ્ટિપ્લેક્સમાં લોકો પાણી અને નાસ્તો સાથે લઈ જઈ શકશે
સિનેમા થિયેટર્સ, અને મલ્ટિપ્લેક્સમાં લોકો પાણી અને નાસ્તો સાથે લઈ જઈ શકશે

સિનેમા થિયેટર્સ, અને મલ્ટિપ્લેક્સમાં લોકો પાણી અને નાસ્તો સાથે લઈ જઈ શકશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં સિનેમા થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં હવે લોકો ખાણીપીણીની વસ્તુઓ સાથે લઈ જઈ શકશે. હાલ જાહેર મનેરંજનના સ્થળોએ લોકોને પીવાના પાણીની બોટલ પણ સાથે લઈ જવા દેવામાં આવતી નથી, બીજી બાજુ થિયેટરમાં ઊંચા ભાવે પાણીની બોટલો વેચવામાં આવતી હોય છે. અને લોકોને ના છૂટકે વધુ ભાવ આપીને પાણીના બોટલો ખીદવાની ફરજ પડે છે. આ સંદર્ભે ફરિયાદો મળતા સરકારે નિર્ણય લીધે છે. આ મામલે હવે ગ્રાહકો કલેક્ટર સ્તરે ફરિયાદ કરી શકે છે. ગ્રાહકો આ મામલે કેન્દ્રીય સત્તામંડળ સ્તરે પણ ફરિયાદ કરી શકે છે. ગ્રાહકને અસરકરતાં કોઇ પણ વિષય અંતર્ગત ગ્રાહક કે ગ્રાહક વર્ગ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. જેમાં જે-તે જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. આ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર નિર્ણય લઈ શકે છે. તેમજ જો કોઈ મલ્ટીપ્લેક્સમાં  લોકોને ખાણી-પીણી લઈ જવા દેવામાં ન આવે તો  ફરિયાદ કરી શકે છે,

સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાહકોને તેમના અધિકારો વિષે જાગૃતિનો અભાવ હોય છે જેના લીધે મોટી સંખ્યામાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બને છે. ગ્રાહકના અધિકારો ગ્રાહકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. એક માન્યતા એવી છે કે મનોરંજનના સ્થળે લોકો પોતાની સાથે ખાવા પીવાની વસ્તુઓ તો ઠીક પરંતુ પીવાનુ પાણી પણ લઇ જઇ શક્તા ન હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે, કાયદાકીય રીતે આવો કોઇ પ્રતિબંધ નથી. મનોરંજન આપતા સ્થળો જેવા કે થિયેટર, મલ્ટીપ્લેકસ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કના માલિકો દ્વારા પોતાની રીતે જ આવા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. જેને કાયદાનું કોઇ સમર્થન મળ્યું નથી. ઉલ્ટુ આવુ કરીને તેઓ ગ્રાહકોને અંધારામા રાખે છે, તેમજ છેતરે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મલ્ટીપ્લેક્સ થિયેટરો પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે, તેમાં કોઇ પણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય. ગ્રાહક પોતાની પસંદગીની મૂવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઇએ, તેના ઉપર થિયેટર માલિકો કોઇપણ શરતો ના થોપી શકે. આમ, ગ્રાહકને અસરકરતાં કોઇ પણ વિષય અંતર્ગત ગ્રાહક કે ગ્રાહક વર્ગ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. તેમા જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. ગ્રાહકો આવી કોઇપણ ફરિયાદ કેન્દ્રીય સત્તામંડળ કે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકશે અને જિલ્લા કલેક્ટર તે અંતર્ગત નિર્ણય લઇ શકશે. આથી આ પ્રકારની પ્રવૃત્તિઓએ ગ્રાહકોની સુરક્ષા સંબંધી કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને એ ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ થઇ શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code