દેશમાં ઈમરજન્સીના ઉપયોગ માટેની મંજુરી માટે આપેલ આવેદન ફાઈઝરે પરત ખેંચ્યુ
- ફાઈઝરે ભારતમાં આપ્યું હતું નેક્સિનના ઉપયોગ માટેનું આવેદન
- જો કે એક બેઠક બાદ આ આવેદન પરત ખેંચ્યુ
દિલ્હીઃ-અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઈઝરએ ભારતમાં પોતાની કોવિડ -19 વેક્સિનના ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી માટેની અરજી પરત લેવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર મામલે ફાઈઝરના પ્રવક્તાએ શુક્રવારે આ માહિતી આપી હતી.
ફાઈઝરના પ્રવક્તાએ આ બાબતે જણાવ્યું હતું કે કંપનીએ 3જી ફેબ્રુઆરીના કોવિડ -19 વેક્સિનના ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી માંગતી હતી. રોજ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીની સબજેક્ટ નિષ્ણાત સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો, આ બેઠકમાં ચર્ચા-વિચારણા અને વધારાની માહિતી એકત્રીત કર્યા પછી, કંપનીએ આ સમયે તેમણે કરેલી અરજી પરત લેવાનો નિર્ણય લીધો છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફાઈઝરનો ઓથોરિટી સાથેનો સંવાદ ચાલુ રહેશે અને ભવિષ્યમાં વેક્સિન પૂરી પાડવા મંજૂરીની વિનંતી ફરીથી કરવામાં આવશે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ફાઇઝર તેની વેક્સિન ભારત સરકાર દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવા અને ઇમરજન્સી યુઝ ઓથોરિટી દ્વારા જરૂરી માર્ગને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે,ફાઇઝરએ જર્મનીની બાયોએનટેક કંપનીના સહયોગથી કોવિડ વેક્સિન વિકસાવી છે. ફાઇઝરે કટોકટીના ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી માંગી હતી.ત્યારબાદ ફાઈઝરના અધિકારીઓ સાથે ભારતના ડ્રગ રેગ્યુલેટરની બેઠક યોજી હતી. આ બાદ નિર્ણય ય લેવામાં આવ્યો છે
સાહિન-