1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી આ વખતે 18 જૂને ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે
PM મોદી આ વખતે 18 જૂને ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે

PM મોદી આ વખતે 18 જૂને ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે

0
Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 102મો એપિસોડ 18 જૂને પ્રસારિત થશે. આ દરમિયાન પીએમ મોદી દેશવાસીઓને વિવિધ મુદ્દાઓ પર સંબોધિત કરશે. અગાઉ 28 મેના રોજ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો 101મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. પરંતુ આ વખતે પીએમના અમેરિકા પ્રવાસના કારણે આ કાર્યક્રમ પહેલા પ્રસારિત કરવામાં આવશે.  3 ઓક્ટોબર, 2014ના રોજ શરૂ થયેલો આ કાર્યક્રમ પીએમ મોદીની સરકારના નાગરિકો સુધી પહોંચવાના કાર્યક્રમનું મુખ્ય સાધન બની ગયું છે.

28 મેના રોજ પ્રસારિત મન કી બાતના 101મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનનાં નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નવી સંસદના ઉદ્ઘાટનનો દિવસ આપણે બધા ભારતીયો માટે અવિસ્મરણીય છે. સંસદની આ નવી ઇમારત ગર્વ અને અપેક્ષાઓથી ભરેલી છે. આ સાથે તેમણે કહ્યું કે આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PM મોદીએ મન કી બાતના 101મા એપિસોડમાં યુવા સંગમ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે યુવા સંગમના પ્રથમ રાઉન્ડમાં 1200 જેટલા યુવાનોએ દેશના 22 રાજ્યોનો પ્રવાસ કર્યો. દરેક યુવા જે તેનો એક ભાગ હતો, તે યાદો લઈને પાછો આવ્યો જે જીવનભર તેમના હૃદયમાં રહેશે.

મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ મ્યુઝિયમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ગુરુગ્રામમાં એક અનોખું મ્યુઝિયમ છે, મ્યુઝિયો કેમેરા. જેમાં 1860 પછીના યુગના 8,000 થી વધુ કેમેરાનો સંગ્રહ છે. આ સાથે તમિલનાડુના મ્યુઝિયમ ઑફ પોસિબિલિટીઝને આપણા દિવ્યાંગ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમમાં દેશ-વિદેશની જનતા સાથે તેમના વિચારો શેર કરે છે. આ કાર્યક્રમનું પ્રસારણ અખિલ ભારતીય રેડિયો અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક પર અને ઓલ ઇન્ડિયા ન્યૂઝ વેબસાઇટની સાથે એપ્લિકેશન પર પણ કરવામાં આવે છે.

‘મન કી બાત’ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર લાઇવ ટેલિકાસ્ટ દ્વારા જોઈ અને સાંભળી શકાય છે. હિન્દી ટેલિકાસ્ટ પછી તરત જ ઓલ ઇન્ડિયા રેડિયોથી પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરવામાં આવે છે. આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં રાતે 8 વાગ્યે ફરીથી સાંભળી શકીએ છીએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code