1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન
પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી આજે કર્ણાટકની મુલાકાતે,વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી માર્ચ 2023ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે પ્રધાનમંત્રી ચિક્કાબલ્લાપુર ખાતે મધુસૂદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, પીએમ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરશે અને મેટ્રોમાં સવારી પણ કરશે.

ચિક્કાબલ્લાપુર ખાતે વડાપ્રધાન

વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં નવી તકો મેળવવા અને સુલભ અને સસ્તું આરોગ્યસંભાળ પ્રદાન કરવામાં મદદરૂપ બને તેવી પહેલમાં, વડાપ્રધાન મધુસુદન સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SMSIMSR)નું ઉદ્ઘાટન કરશે. તેની સ્થાપના સત્ય સાંઈ ગ્રામ, મુદ્દેનાહલ્લી, ચિક્કાબલ્લાપુર ખાતે માનવ શ્રેષ્ઠતા માટે સત્ય સાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં સ્થિત અને તબીબી શિક્ષણ અને આરોગ્યસંભાળને ડી-કમર્શિયલાઇઝ કરવાના વિઝન સાથે સ્થપાયેલ, SMSIMSR તમામને તબીબી શિક્ષણ અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડશે – સંપૂર્ણપણે મફત -. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2023થી કાર્યરત થશે.

બેંગલુરુ ખાતે વડાપ્રધાન

વડાપ્રધાનએ સમગ્ર દેશમાં વિશ્વ કક્ષાના શહેરી ગતિશીલતા માળખાના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના અનુસંધાનમાં, બેંગ્લોર મેટ્રો ફેઝ 2 હેઠળ વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રોથી ક્રિષ્નારાજપુરા મેટ્રો લાઇનની 13.71 કિમી લાંબી રીચ-1 એક્સ્ટેંશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન ખાતે કરવામાં આવશે. આશરેરૂ. 4250 કરોડના ખર્ચે બનેલ, આ મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન બેંગલુરુના મુસાફરોને સ્વચ્છ, સલામત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે, ગતિશીલતામાં સરળતા વધારશે અને શહેરમાં ટ્રાફિકની ભીડમાં ઘટાડો કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code