1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા
PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા

PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા

0
Social Share
  • પીએમ કરશે આજે મન કી બાત
  • આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે
  • ઓમિક્રોન પર થઇ શકે છે ચર્ચા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે.સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન પણ તેનું લાઇવ પ્રસારણ કરશે.મન કી બાત એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે.

અગાઉ પીએમ મોદીએ મન કી બાતની આ આવૃત્તિ માટે લોકોને તેમના મંતવ્યો શેર કરવા કહ્યું હતું. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. દરેક આવૃત્તિમાં વડાપ્રધાન દેશવાસીઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરે છે, જેમાં તે મુદ્દાઓ સામેલ છે જે તે વિશેષ સંબોધન પહેલાં અથવા પછીના છે.

મહામારીના સમયમાં વડાપ્રધાન લગભગ દર મહિને દેશવાસીઓ સાથે કોરોના વાયરસ પર વાત કરે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે,રવિવારનું સંબોધન કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ અને સંબંધિત મુદ્દાઓ પર આધારિત હોઈ શકે છે. એક દિવસ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે,3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકોને પણ રસી આપવામાં આવશે આ સાથે દેશમાં બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code