1. Home
  2. ગુજરાતી
  3. ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું વડાપ્રધાનનું સપનુઃ મનસુખ માંડવિયા
ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું વડાપ્રધાનનું સપનુઃ મનસુખ માંડવિયા

ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું વડાપ્રધાનનું સપનુઃ મનસુખ માંડવિયા

0
Social Share

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો દ્વારા કેન્દ્રિત અને સઘન પ્રયાસોના પરિણામ રૂપે ટીબી વિરોધી જંગમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે આ સંવાદ યોજવામાં આવ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સર્વસામાન્ય નીતિઓના કેન્દ્રીત અને અસરકારક અમલીકરણ માટે અને સંયુક્ત રીતે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આનાથી ખૂબ જ પ્રબળ યોગદાન મળી રહેશે. “સહકારપૂર્ણ અને સહયોગપૂર્ણ પ્રયાસોથી વધુ ઝડપથી સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં ખૂબ જ મજબૂત યોગદાન મળી રહેશે.”

તેમણે નોંધ્યું હતું કે, “ટીબી નાબૂદ કરવા માટેના આ મિશનમાં આપણી સાથે સામાન્ય લોકોને જોડવા માટે આપણે તેમને પ્રોત્સાહિત કરવાના છે. આ કાર્યને લોકોની પહેલ બનાવવાનું છે, 2025 સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવાનું પ્રધાનમંત્રીનું સપનું પૂરું કરવા માટે ટ્યૂબરક્યૂલોસિસ સંબંધે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી આવતા તમામ સૂચનોને કેન્દ્ર સરકાર દ્વારા મુક્ત રીતે આવકારવામાં આવશે. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ અંગે જાહેર આરોગ્ય વ્યવસ્થાપન તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અન્ય કાર્યક્રમો અને પહેલોના સંદર્ભમાં સૂચનો પૂરાં પાડવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

ટીબી નાબૂદ કરવા માટે અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સફળતામાં કોવિડ-19ના કારણે ઉભા થયેલા જોખમ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં કોવિડ વિરોધી રસીકરણ ઘણું વેગવાન કરવામાં આવ્યું છે. તેમણે 5 સપ્ટેમ્બર સુધીમાં તમામ શિક્ષકોનું રસીકરણ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેના માટે રાજ્યોને વધારાના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. ચોક્કસ દિવસો દરમિયાન સીધા જ લોકો સાથે સંપર્કમાં આવતા હોય તેવા ચોક્કસ સમુદાયો જેમકે, બજારમાં શાકભાજીના ફેરિયાઓ અથવા ચોક્કસ વિસ્તારોમાં રીક્ષા ખેંચવાવાળા વગેરેને રસી આપવા માટે વિશેષ રસીકરણ કવાયતોની પહેલ હાથ ધરવી જોઈએ.

ડૉ. પવારે રેખાંકિત કર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવા માટે આપણા પ્રયાસોમાં અનેકગણો વધારો કરીને આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. “જન જન કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈ” અર્થાત્ “દરેક વ્યક્તિએ સજાગ થવાનું છે, ટીબીને નાબૂદ કરવાનો છે”.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code