1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિવાદાસ્પદ નિવેદન મામલે નૂપુર શર્માની ધરપકડ નહીં કરાતા અમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી
વિવાદાસ્પદ નિવેદન મામલે નૂપુર શર્માની ધરપકડ નહીં કરાતા અમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી

વિવાદાસ્પદ નિવેદન મામલે નૂપુર શર્માની ધરપકડ નહીં કરાતા અમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી

0
Social Share

અમદાવાદઃ ભાજપનાં નેતા અને પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપે શર્માને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નૂપુર શર્માના નિવેદનનોદ દેશભરના  મુસ્લિમ સમાજમાં વિરોધ થઈ રહ્યો છે.  ત્યારે અમદાવાદમાં મિરઝાપુર વિસ્તારમાં  જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. પોલીસે લોકોને સમજાવીને લોકોને ઘરે પાછા મોકલવાનો પ્રયાસો કર્યા હતા. સાથે જ મુસ્લિમ આગેવાનોને બોલાવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના લાલ દરવાજા સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઇ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ રેલી ખાનપુર ભાજપ કાર્યાલય તરફ આગળ વધતા તેને રોકવામાં આવી હતી. પોલીસે ખાનપુર ભાજપ કાર્યાલય તરફ જતો માર્ગ બંધ કરાવ્યો હતો.

ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માના મોહંમદ પયગંબર વિશે વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ઢાલગરવાડ બજાર અને ત્રણ દરવાજા બજારે બંધ પાળ્યો હતો. શહેરના ઢાલગરવાડ અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણા બજારના વેપારીઓએ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. દરિયાપુર વિસ્તારમાં પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત મુસ્લિમ સમાજના યુવાનોએ નૂપૂર શર્માની ધરપકડની માગ કરતાં બેનર લઈને રેલી કાઢી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને ક્યાંય કોઇ અનિચ્છનીય ઘટના કે તોફાની તત્ત્વો કાંકરીચાળો ન કરે એને પગલે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.. સેકટર 1 જેસીપી આર.વી અંસારીએ મિર્ઝાપુર પહોંચી અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું લોકોને સમજાવી અને ઘરમાં જવા માટે સૂચના આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના મેસેજ વાઇરલ કરવામાં આવ્યા હતા, જેને પગલે લાલ દરવાજા, કારંજ, પટવાશેરી સહિતના આસપાસના વિસ્તારોના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનોને શાંતિ તથા ભાઈચારાની એકતા જળવાઈ રહે એ માટે બંધ ન રાખવા સમજાવવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા બંધ ન રાખવા સંમતિ દર્શાવી હતી. જોકે આજે બજાર ખૂલ્યાના બે કલાકમાં જ બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ઢાલગરવાડ બંધ જોવા મળ્યું હતું. એકપણ દુકાન ખુલ્લી જોવા મળી ન હતી. કેટલાક પાથરણાબજારના વેપારીઓએ બજાર ચાલુ રાખ્યું હતું, પરંતુ પટવા શેરીના આસપાસનાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ આવી એને બંધ કરાવ્યું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. 10 જૂનના રોજ બંધના એલાનના મેસેજ વાઇરલ થતાં પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો અને મૌલાનાને બોલાવીને લોકોને આવા બંધના મેસેજ પર ધ્યાન ન આપવા સમજાવ્યા હતા. દરમિયાન મુસ્લિમ આગેવાનો અને મૌલાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 10 જૂનના બંધના મેસેજ ફોટા વાઇરલ કરવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારનો બંધનો મેસેજ કોઈ જમાત કે અમારા દ્વારા આપવામાં આવ્યો નથી. લોકોએ આવા મેસેજ પર ધ્યાન આપવું જોઈએ નહીં અને પોતાના વેપારધંધા પર ધ્યાન આપવું જોઈએ, એવો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code