1. Home
  2. ગુજરાતી
  3. રિકવરી: દેશમાં 16 જૂન બાદ પ્રથમવાર 24 કલાકમાં માત્ર 10,064 નવા કેસ નોંધાયા

રિકવરી: દેશમાં 16 જૂન બાદ પ્રથમવાર 24 કલાકમાં માત્ર 10,064 નવા કેસ નોંધાયા

0
Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસને લઈને સારા સમાચાર છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા અનુસાર ગત વર્ષે ૧૬ જૂન બાદ આજે ૧૦,૦૦૦ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 18 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૭૮,૦૨,૮૨૭ કોરોના સેમ્પલને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 28 હજાર 753 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,411 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,00,528 ક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,556 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ગુજરાતની વાત કરીએ તો, 18મી જાન્યુઆરીએ સાંજે નોંધાયેલા આંકડા મુજબ કોરોના વાયરસના (Gujarat Corona cases) કેસમાં સતત ઘટાડા સાથે ફક્ત 495 નવા કેસ હૉસ્પિટલમાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2 દર્દીનાં દુ:ખદ મોત થયા છે. 24 કલાકમાં નવા કેસની સંખ્યા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઉમેરાતા કુલ 2,45, 807 દર્દી સાજા થયા છે.

અમદાવાદમાં 101, સુરતમાં 94, વડોદરામાં 98, રાજકોટમાં 73, દાહોદમાં 16, કચ્છમાં 13, જૂનાગઢમાં 13, ગાંધીનગરમાં 15, ખેડામાં 7, આણંદમાં 6, મોરબીમાં 6, સાબરકાંઠામાં 5, ગીરસોમનાથમાં 5, જામનગરમાં 7, મહરેસાણામાં 4, પાટણમાં 4, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પંચમહાલમાં 3, ભાવનગરમાં 3, મહીસાગરમાં 1, નર્મદામાં 1, પોરબંદરમા, સુરેન્દ્રનગર, તાપીમાં 1-1 વલસાડમાં 1 કેસ નોંધાયા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code