1. Home
  2. ગુજરાતી
  3. આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, UP બાદ હવે ગુજરાત સરકાર પણ લવ જેહાદનું બીલ લાવે તેવી શક્યતા
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, UP બાદ હવે ગુજરાત સરકાર પણ લવ જેહાદનું બીલ લાવે તેવી શક્યતા

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, UP બાદ હવે ગુજરાત સરકાર પણ લવ જેહાદનું બીલ લાવે તેવી શક્યતા

0
Social Share
  • 1લી માર્ચથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો થયો પ્રારંભ
  • આ સત્રમાં ભાજપ સરકાર લવ જેહાદનો કાયદો પસાર કરી શકે છે
  • 3જી માર્ચે નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે

ગાંધીનગર: સોમવારથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ જ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. આપને જણાવી દઇએ કે 3જી માર્ચે નાણાંમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે.

જો કે, કોરોના સંક્રમણ ફરીથી વધ્યું છે ત્યારે વિધાનસભામાં મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં, કોરોનાને લીધે ગુજરાત વિધાનસભામાં પણ ધારાસભ્યોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોક ઠરાવ રજૂ કરી પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ તેમજ સ્વ.માધવસિંહ સોલંકીને ગૃહમાં શ્રદ્વાંજલિ અર્પિત કરવામાં આવશે.

તે ઉપરાંત રાજ્યપાલ આભાર પ્રસ્તાવ પર પણ ત્રણ દિવસ ચર્ચા કરાશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પરિણામ તા.2જી માર્ચે જાહેર કરાશે. આ જોતાં તા.3જીએ નાયબ મુખ્યમંત્રી-નાણાંમંત્રી નીતિન પટેલ તા.3જીએ બજેટ રજૂ કરશે.

નીતિન પટેલ 9મી વાર વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે. 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટમાં ભાજપ સરકાર યુપીની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનું બિલ પસાર કરી શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દો ભાજપને ફળ્યો છે ત્યારે લવ જેહાદનો કાયદો પસાર કરી ભાજપ મતદારોને રિઝવવા પ્રયાસ કરશે.

કોરોનાના કેસ વધ્યા છે ત્યારે તે જોતા વિધાનસભામાં મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓને કોરોના ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ મળશે. એટલું જ નહીં, વિધાનસભામાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેટલાંક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code