1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે

0
Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે 13 તારીકે તેઓ અમદાવાદ આવી પહોંચશે. તેમજ મોહન ભાગવત પૂ. વિજ્યરત્ન સુંદર સુરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લેશે.આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોહન ભાગવતની અમદાવાદ મુલાકાત લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 13મી જાન્યુઆરીના રોજ રાતના અમદાવાદ આવશે. 14મી જાન્યુઆરીના રોજ સવારે તેઓ પૂ. વિજયરત્નસુંદર સુરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લઈને તેમના આશિર્વચન લેશે. ત્યાર બાદ તેઓ ગુરુદેવના અનુયાયીઓ સાથે જીએમડીસી મેદાન ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ અન્ય કેટલાક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. ગુજરાત મુલાકાત દરમિયાન મોહન ભાગવત આરએસએસના ઉચ્ચ હોદ્દેદારો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code