1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અયોધ્યામાં રામ મંદિરના પાયા માટે વિંધ્યાચલથી મજબૂત ખડકો લાવવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિરના પાયા માટે વિંધ્યાચલથી મજબૂત ખડકો લાવવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિરના પાયા માટે વિંધ્યાચલથી મજબૂત ખડકો લાવવામાં આવશે

0
Social Share
  • અયોધ્યામાં રામ મંદિરના પાય માટે વિંધ્યાચલથી  ખડક મંગાવાશએ
  • મંદિરનો પાયો મજબુત બનાવાશે
  • દેવી જગદંબાએ શ્રી રામને દૈવી શક્તિ આપી  તેજ રીતે મંદિરના પાયાને મળશે શક્તિ

દિલ્હીઃ-માનવામાં આવે છે કે રાવણ સાથેના યુદ્ધ દરમિયાન દેવી જગદંબાએ શ્રી રામને દૈવી શક્તિ આપી હતી. આ જ તર્જ પર, અયોધ્યામાં નિર્માણ પામનારા શ્રી રામ મંદિરના પાયાને પણ વિંધ્યાચલની દેવી અંબાની દૈવી શક્તિ આપવામાં આવશે. અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરનો પાયો તૈયાર કરવા વિંધ્યાચલથી મજબૂત પથ્થરો મંગાવવામાં આવશે.આઈઆઈટીના નિષ્ણાતોની ટીમે રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી પત્થરો કરતાં વિંધ્યા પર્વતનાં પથ્થરોને પાયા માટે મજબૂત ગણાવ્યા છે.

મંદિરના પાયામાં સ્થાપિત કરવામાં આવતા વિશાળ ઉત્તુંગ મંદિરને ઘણા વર્ષો સુધી મજબુતાઈ મળશે. નિષ્ણાતોનો અંદાજ છે કે ફાઉન્ડેશન માટે, જમીનને 60 ફૂટ ઊંડા સુધી ખોદવી પડશે. આમાં કોંક્રિટ અને વિંધ્યાચલ પત્થરોનો ઉપયોગ કરવામાં આવશે. અનુમાન મુજબ તે ચાર લાખ ઘનફૂટથી વધુનો પથ્થર તેમાં સમાવેશ પામશે.

મંદિરનો પાયો વિંધ્યાચલના પથ્થર અને ભરતપુરના બંસી પહાડપુરના ગુલાબી બલુઆ પત્થરથી નાંખવામાં આવશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ અને મુખ્ય સ્થાપત્ય નિષ્ણાત આશિષચંદ્રકાંત ભાઈ સોમપુરાનું કહેવું છે કે, વિંધ્યાચલ પર્વતોનો પથ્થર ફક્ત મજબુત નથી, પણ ત્યાંથી અયોધ્યા લાવવું પણ સરળ બનશે. આ સિવાય તે અયોધ્યાના વાતાવરણ સાથે પણ સુસંગત રહેશે. મંદિરનો પાયો વિંધ્યાચલના પથ્થર અને ભરતપુરના બંસી પહાડપુરના ગુલાબી બલુઆ પત્થરથી નાખવામાં આવશે.

60 ફૂટ ઊંડા ખાડો ખોદવામાં આવશે

રામ મંદિરના પાયામાં સ્થાપિત કરવામાં આવનારા ઉત્તુંગ મંદિરને ઘણા  વર્ષો સુધી મજબુત બનશે. નિષ્ણાતોનો અંદાજ છે કે, ફાઉન્ડેશનનો પાયો 60 ફૂટ ઊંડો ખોદવો પડશે અને આધાર તૈયાર કરવો પડશે.વિંધ્યા રેન્જમાંથી પથ્થરોની ખાણકામ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સરકાર અને ખાણકામ અને વન વિભાગનો સંપર્ક કરીને ઓપચારિકતાઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદથી નેશનલ જિઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એનજીઆરઆઈની ટીમે પણ મોટા પ્રમાણમાં જમીનની તપાસ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરી, મકરસંક્રાંતિ બાદ, પાયા માટે જમીન ખોદવાનું કામ શરૂ થશે. ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર 2023 સુધીમાં મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, 50 ફૂટની ઊંડાઈ સુધી ખોદકામ કરીને કાટમાળ દૂર કરવામાં આવશે. કારણ કે પ્રાચીન મંદિરના અવશેષો સમગ્ર દેશમાં મળી રહ્યા છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code