1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પુનઃપ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકશે
ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પુનઃપ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકશે

ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પુનઃપ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાઓમાં પુનઃ પ્રવેશ આપવાની વર્ષોથી રજુઆતો થતાં હતી આખરે બોર્ડ દ્વારા ધોરણ 10ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો શાળાઓમાં જઈને પુનઃ ભણવા માગતા હોય તો તમને જે તે શાળાઓમાં પ્રવેશ આપવામા આવશે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવી શક્તા નહીં અને તે ક્લાસિસ કે જાતે તૈયારી કરીને નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપતા હોય છે. પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974માં ફેરફાર કરાયો છે. હવે ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે.  ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ વિદ્યાર્થી એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974માં ફેરફાર કરાયો છે. વિદ્યાર્થીએ ધોરણ 10ની જે શાળામાંથી નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હશે તે જ શાળામાંથી પુનઃ પ્રવેશ મેળવવાનો રહેશે. અન્ય કોઈપણ શાળામાં વિદ્યાર્થી પુનઃ પ્રવેશ મેળવી શકશે નહીં

શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ  જે વર્ષમાં નાપાસ થયો હોય તે પછીના તરત જ એક શૈક્ષણિક વર્ષ પૂરતું જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી મેળવીને શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પુન: પ્રવેશ મેળવી શકશે. પુનઃ પ્રવેશ આપેલા વિદ્યાર્થી માટે ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં. પુનઃ પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓના ધોરણ 10ની જાહેર પરીક્ષાના આવેદન પત્ર રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવાના રહેશે. અગાઉ નિયમમાં બદલાવ કરીને શિક્ષણ વિભાગે ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થી ફરી સ્કૂલમાં પ્રવેશ ના લઈ શકે તેવો નિર્ણય કર્યો હતો, જેમાં શાળા સંચાલક મહામંડળની રજૂઆત બાદ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે ઉપરોક્ત પરિપત્ર બાદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થીને નિયમિત તરીકે એક વર્ષ પૂરતો અભ્યાસ કરાવવા છતાં પણ ફોર્મ રિપીટર તરીકે ભરવા અંગે નારાજગી દર્શાવી છે. આ સિવાય પુન: પ્રવેશ આપેલા વિદ્યાર્થીને ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં આ નિર્ણયને ગ્રાન્ટેડ શાળાઓમાં ભારણ વધશે એવો શાળા સંચાલક મહામંડળનો અભિપ્રાય છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code