1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતઃ ડ્રેનેજ ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા 2 શ્રમિકોનું ગુંગળામણથી મોત, એકની હાલત ગંભીર

સુરતઃ ડ્રેનેજ ચેમ્બરમાં સફાઈ માટે ઉતરેલા 2 શ્રમિકોનું ગુંગળામણથી મોત, એકની હાલત ગંભીર

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં અવાર-નવાર ગટર-ખાળકુવા સાફ-સફાઈ દરમિયાન શ્રમજીવીઓના મોતની ઘટના બને છે. દરમિયાન હવે સુરતમાં આવી ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ સાફ કરવા અંદર ઉતરેલા બે શ્રમજીવીઓના મૃત્યું થયું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર અસર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર પીપલોદ વિસ્તારમાં આવેલી કોલેજના સંકુલમાં ડ્રેનેજ ચેમ્બરમાં સફાઈ માટે 3 શ્રમિકો ઉતર્યાં હતા. અચાનક ગૂંગળામણના કારણે ત્રણેય શ્રમિકો બેભાન થઈ જતા ભાગદોડ મચી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરી ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે મજૂરના મોત થયા હતા.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code