1. Home
  2. Tag "kharif crops"

ગુજરાતમાં ખરીફ પાકનું 85 ટકા વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર

ગાંધીનગર 10 ઓગસ્ટ 2026 :  85% of Kharif crop sowing completed in Gujarat ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં ૭૨.૪૭ લાખ હેક્ટર એટલે કે આશરે ૮૫ ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા […]

ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

ગાંધીનગર, 13 મે 2026:  Support prices of Kharif crops announced ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, […]

ગુજરાતઃ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ

ગાંધીનગરઃ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો […]

ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીમાં દર્શાવેલા પાકનું વેરીફીકેશન થશે

મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન શરૂ કરાયું, ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેની જ નોંધણી કરાવવા અપીલ, ખેડૂતોએ ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા સુચના ગાંધીનગરઃ ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 15 […]

ભાવનગર જિલ્લામાં ખરીફ પાકનું 3.43 લાખ હેકટરમાં થયું વાવેતર

જિલ્લામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર, સાર્વત્રિક વરસાદથી 16 આની પાકની ખેડૂતોના આશા, તુવેરનું વાવેતર 600 હેકટરમાં થયું ભાવનગરઃ ગોહિલવાડમાં આ વખતે સમયસર સારો વરસાદ પડવાને લીધે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. જિલ્લામાં આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં કપાસ અને મગફળી સહિત વિવિધ પાકોનું કુલ વાવેતર 3,55,500 હેકટર થઇ ગયુ છે. એક મહિના […]

ખેડૂતો વાવણી કરે તે પહેલા જ વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા

ટેકાના ભાવમાં રૂ. 69 થી 596 પ્રતિ ક્વિ.નો વધારો કરાયો મગફળી પાક માટે રૂ. 7263  પ્રતિ ક્વિન્ટલ ભાવ કપાસ (લંબતારી) માટે રૂ. 8110 પ્રતિ ક્વિન્ટલનો ભાવ રાજ્યના કૃષિમંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો ગાંધીનગરઃ ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025-26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની […]

ખેડૂતો પાસેથી સરકાર લાંભપાંચમથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, […]

ગુજરાતઃ 11 નવેમ્બરથી 90 દિવસ સુધી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન […]

વરસાદી સીઝનમાં ખરીફ પાકને રોગચાળાનો ખતરો, કૃષિ વિભાગે આપી સલાહ

બનાસકાંઠામાં ભારે પવનને લીધે જુવાર,મકાઈ અને શાકભાજીના પાક ઢળી પડ્યો, ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા અને આંતરખેડ ન કરવા સલાહ, પાલનપુરઃ બનાસકાંઠામાં સતત વરસાદને ખરીફ પાકમાં રોગચાળાનો ભય છે. તેથી કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી છે. કે, , શક્ય હોય તો ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરો. તેમજ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આંતરખેડ ન […]

જેતપુર વિસ્તારમાં કપાસ, મગફળી અને સોયાબીનના પાકના પાન પીળા પડી ગયા

છેલ્લા એક મહિનાથી તડકો ન નિકળતા ખરીફ પાકને વિપરિત અસર, ભાદર ડેમ અડધો પણ ભરાયો નથી, પાક નિષ્ફળ જવાની દહેશતથી ખેડુતો બન્યા ચિંતિત રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં અષાઢના પ્રારંભથી પડેલા સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું વાવેતર કરાયું છે. જેમાં જિલ્લાના જેતપુર તાલુકામાં પણ કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરાયું હતું. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code