1. Home
  2. Tag "surat"

સુરતના પોલીસ કમિશનર તેમજ સાઉથ રેન્જના IGની જગ્યા ખાલી, સરકાર નિર્ણય લઈ શકતી નથી

સુરતઃ શહેરમાં પોલીસ કમિશનર અજય કૂમાર તોમર વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ તેમના સ્થાને કોઈનીય હજુ સુધી નિમણૂંક કરવામાં આવી નથી. તદઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ મહત્વની જગ્યા પર કાર્યદક્ષ અધિકારીઓની સત્વરે નિમણુંક […]

અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ  21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કોમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવાશે. સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ […]

અમદાવાદ અને સુરતમાં 300-300 બેડની હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન ગાંદીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવશે. આ માટે બજેટમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદના બાવળા અને સુરતના કામરેજમાં આધુનિક હોસ્પિટલ […]

સુરતમાં આજે સાંજે તાપી નદીના ઘાટ પર યોજાશે દીપોત્સવ, 2 લાખ દીવડાં પ્રગટાવાશે

સુરતઃ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે અન્ય શહેરોની જેમ સુરત શહેરના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. શહેરના તાપી નદીના આરતી ઘાટ ખાતે નમસ્તુભ્યમ પરિવાર દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ સંધ્યાએ એટલે કે આજે રવિવારે સાંજના સમયે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં બે લાખથી વધુ દીવડાઓથી સમગ્ર તાપી ઘાટને શણગારવામાં આવશે. […]

સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી SMCની ટીમ પર જીવલેણ હુમલો

સુરતઃ શહેરમાં રખડતા ઢોર માટે નવી પોલીસીના અમલ બાદ પશુઓનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ હાલ ફરીવાર રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં ખાડી પુલ નજીક રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર પશુપાલકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ […]

સુરતમાં આજે ઉત્તરાણના દિને સિટીબસ સેવા સંપૂર્ણ બંધ રહેશે, કાલે પણ 50 ટકા જ બસો દોડશે

સુરતઃ શહેરમાં આજે  રવિવારે ઉત્તરાણના દિને બીઆરટીએસ અને સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે. તેમજ આવતી કાલે સોમવારે વાસી ઉત્તરાણના દિને બીઆરટીએસ અને સિટી બસ રૂટ્સમાં 50 ટકા કાપ મુકવામાં આવ્યો છે. આજે ઉત્તરાણ યાને મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ.કોર્પોરશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. એસએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ઉત્તરાણને રવિવારના દિને સુરત […]

સુરતમાં ઓવરબ્રિજ ટૂવ્હીલર માટે ઉત્તરાણના બે દિવસ પ્રતિબંધ, સેફગાર્ડ લગાવ્યા હશે તો છૂટ મળશે

સુરતઃ શહેરમાં તાજેતરમાં નાના વરાછા વિસ્તારમાં ઓવરબ્રિજ પર સ્કુટર પર જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ શહેર પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ પર તા.14મીને ઉત્તરાણ અને 15મીએ વાસી ઉત્તરાણના દિવસે દ્વીચક્રી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટુ વ્હીલર વાહનોમાં સેફગાર્ડ (લોખંડને બેન્ડ કરેલો […]

સુરતઃ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 97 પતંગબાજોએ લીધો ભાગ

અમદાવાદઃ સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેયર દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024”  યોજાયો હતો. જેમાં 12 દેશોના 37 અને ભારતના ત્રણ રાજ્યોના 14 પતંગબાજો તેમજ સુરતના 37, નવસારી, ભરૂચના પતંગબાજો સહિત 97 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ-વિદેશના પતંગબાજોએ ભાતીગળ […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ ભગવાન રામની તસવીરવાળી ખાસ સાડી સુરતથી અયોધ્યા મોકલાશે

અમદાવાદઃ દેશના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા ગુજરાતના સુરત શહેરમાં બનેલી ખાસ સાડી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવશે. સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે આ સાડી પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનેલા છે અને આ સાડી માતા સીતાજી માટે તૈયાર કરવામાં આવી છે અને તે […]

સુરતમાં RSSનું યુવા સંમેલન યોજાયું, યુવાનોને કર્તવ્યનિષ્ઠ બનાવવા ડો. પાંડેએ કરી હિમાયત

સુરતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુરત મહાનગરનું એક દિવસીય યુવા સંમેલન રવિવારે વીએનએસજીયુ (VNSGU) ખાતે યોજાયું હતું.  જેમાં સ્વદેશી રમતો, નિયુદ્ધ (સ્વરક્ષા તાલીમ), વ્યાયામ યોગ, સ્વ-અનુશાસનના પાઠ સામુહિક સ્વરૂપે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિભિન્ન પ્રાધ્યાપકો દ્વારા ભવિષ્યનું ભારત, સેવા, જીવનશૈલી, સાંસ્કૃતિક ધરોહર, કૌશલ્ય વિકાસ, પર્યાવરણ, સામાજિક જવાબદારી વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સુરતમાં આરએસએસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code