1. Home
  2. ગુજરાતી
  3. તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ
તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

0
Social Share

બેંગ્લુરુઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકારે આવતીકાલે (9 ડિસેમ્બર) તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવા માટે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે.

અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા બેઠક હેઠળની ચંદ્રયાંગુટ્ટા વિધાનસભા બેઠક પરથી ઓલ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય છે. તે અહીંથી સતત ત્રીજી વખત જીત્યા છે. ઓવૈસીએ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના એમ સીતારામ રેડ્ડીને 81,660 મતોથી હરાવ્યા હતા.

2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાનગુટ્ટા બેઠક પરથી 80264 મતોથી જીત્યા હતા. ત્યારબાદ ઓવૈસીને 95339 વોટ મળ્યા હતા જ્યારે બીજેપીના શહઝાદી સૈયદને 15075 વોટ મળ્યા હતા. અગાઉ 2014ની ચૂંટણીમાં અકબરુદ્દીન ઓવૈસી 59,274 મતોથી જીત્યા હતા. 2018માં ચંદ્રયાંગુટ્ટા સીટ પર બીજા ક્રમે રહેલા ભાજપે આ વખતે અહીંથી સત્યનારાયણ મુદિરાજને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે છેલ્લી ઘડીએ તબિયતના કારણોને ટાંકીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

અકબરુદ્દીન ઓવૈસી લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે. આ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન પોલીસ અધિકારીને ધમકાવતા જોવા મળ્યા હતા. આ પછી તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. ચૂંટણીમાં અકબરુદ્દીન ઓવૈસીએ એક જાહેર સભામાં કહ્યું હતું કે રેડ્ડી હોય, બાબુ હોય કે રાવ હોય, અમે દરેક પાસેથી કામ કરાવવાનો જાદુ જાણીએ છીએ. જ્યારે અકબર ઓવૈસી બોલે છે ત્યારે દરેક વ્યક્તિ સાપની જેમ નાચવા લાગે છે. અકબર જ્યારે એસેમ્બલીમાં ઉભા થાય છે ત્યારે તમામની બોલતી બંધ થઈ જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code